SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પણ” અને આ ઉપકારી સદ્ગુરુ કોઈ કર્મની બાહુલ્યતાના કારણે, કોઈ પુરુષાર્થની મંદતાના કારણે, કોઈ નિયતિના કારણે, કોઈ કાળલબ્ધિના કારણે - ગમે તે કારણ હોય, પાંચ સમવાયમાંથી કોઈ પણ કારણ હોય - પણ ગુરુ છઘ0 રહ્યાં. એટલે ગુરુના જ્ઞાનને હજુ આવરણ છે, ગુરુને હજુ નિરાવરણ કેવળજ્ઞાન થયું નથી અને જે શિષ્યને કેવળજ્ઞાન થયું તે તો ભગવાન થઈ ગયા. તો હવે શું થાય ? તો કહે “ગુરુ રહ્યા. છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન.” આ વિનયનો માર્ગ શિષ્ય થયા ત્યાંથી શરૂ કર્યો તો ક્યાં સુધી લઈ ગયા ? પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થયું ત્યાર પછી પણ વિનય ! ગુરુ હજુ સાધક અવસ્થામાં છે અને શિષ્ય હવે સિદ્ધ અવસ્થામાં છે – અને સિદ્ધ અવસ્થામાં ભગવાન થયા છે તે શિષ્ય ગુરુનો વિનય કરે છે. “વિનય કરે ભગવાન.” ક્યારેક સિદ્ધાંતના મતભેદમાં કોઈને આ વાત ન બેસે. કારણ કે લૌકિક દૃષ્ટિવાળા જીવોને આવી અલૌકિક વાત કદાચ ન બેસે. કોઈ શાસ્ત્રમાં આ વાત મળે કે ન મળે, કપાળદેવે કહ્યું છે, ‘ચિંતા ન કરવી. અમે જે કહ્યું છે તે આગમ પ્રમાણ માનીને ચાલજો.” એટલે અહીં કહે છે, સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું માહાસ્ય જ્ઞાન છે. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તે ભગવાન છે. અને ભગવાન મહાવીરે પોતાની અંતિમ દેશના ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયનો માર્ગ ! ગુરુ છદ્મસ્થ હોય તો પણ એનો વિનય કરે. શાસ્ત્રોમાં એવા કથાનકો આવે છે. ચંદ્રરૂડાચાર્ય - એનો શિષ્ય એક રાતમાં જ કેવળજ્ઞાન પામે છે. શિષ્ય ગુરની મશ્કરી કરે છે અને ગુરુ એને પકડીને દીક્ષા આપે છે. પછી શિષ્યને થયું કે ગુરુએ મને દીક્ષા તો આપી. પણ આજે જ મારાં લગ્ન થયાં છે. હવે જો મારા સંબંધીઓ જાણશે તો તમને મારશે. માટે આપણે રાતોરાત વિહાર કરીએ. ગુરુ વૃદ્ધ અવસ્થાની અંદર શિષ્ય નવોદિત, તાજો, યુવાન અને હાલમાં જ પરણેલો. એણે ગુરુને ખભે બેસાડ્યા કારણ કે ગુરુ પાસે દીક્ષીત થયો છે. ખભે બેસાડીને ગુરુને લઈ જાય છે ! આખી રાત વિહારનાં કષ્ટ સહન કરે છે. અંધારી ઘોર રાતની અંદર પગલાં ક્યાં મુકે છે ખબર નથી. ક્યાંક ખાડાટેકરાં, ક્યાંક ઉંચે ચડે, પડે. એટલે ગુરુને ક્રોધ આવે છે. કારણ કે ગુરુ વૃદ્ધ અવસ્થામાં હેરાન થાય છે. અને ગુરુ એને માથામાં મારવા માંડે છે કે મને કેટલું કષ્ટ પડે છે. તું દેખતો નથી ? જોઈ જોઈને ચાલ. અને શિષ્ય ભાવ કરે છે કે અહોહો ! આ ગુરુ ! મને મુક્તિનો માર્ગ બતાવનાર, મને દીક્ષીત કરનાર અને એમને મારા થકી આ પીડા, વેદના ભોગવવી પડે છે. આવા પશ્ચાતાપનું વેદન કરતો કરતો શિષ્ય જાળવી-જાળવીને ડગલાં મુકે છે પણ કેડી તો અંધારી છે, જંગલની વાટ છે. પણ આ શિષ્યનો ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ આ વિચારધારામાં એટલો ઉત્કૃષ્ટપણાને પામે છે કે ચાલતાં ચાલતાં કેવળજ્ઞાન થાય છે. મારા ગુરુને મારા થકી આવું દુઃખ, વેદના, કષ્ટ થાય છે. એનું નિમિત્ત હું બનું છું. અને એનો મારા ઉપર કેટલો ઉપકાર છે ! જેણે મને સંસાર પાર કરાવવાની જવાબદારી લીધી છે અને હું રસ્તો પાર કરાવી શકતો નથી. આ ભાવ એટલા ઉત્કૃષ્ટ થાય છે કે એમાં કેવળજ્ઞાન થાય છે. મધરાત પછી કેવળજ્ઞાન થતાં આખું જગત દશ્યમાન થાય છે. શિષ્યને માર્ગ દીવા જેવો ચોખ્ખો દેખાય છે. સ્વ પર પ્રકાશક એવું ચૈતન્ય જાગ્યું છે અને પછી તો પગલાં બરોબર - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 82 GF
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy