SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે તો ૧ા કલાકમાં એની નકલ પણ નથી કરી શકતા ત્યારે એમણે તો તત્ત્વનો આવો મૂળભૂત ગ્રંથ ૧ા કલાકમાં લખી નાખ્યો અને અંબાલાલને કહ્યું, આની ચાર નકલ કરો અને હમણાં જણાવ્યું તેમ સોભાગભાઈ, પૂ. મુનિશ્રી, ઘેલાભાઈ અને અંબાલાલભાઈને આપવાનું કહ્યું. આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ અવગાહના કરવા માટે મોકલ્યું અને આ કાળની અંદર એક અદ્ભુત ઘટના, જેને કહીએ આશ્ચર્યનું આશ્ચર્ય બન્યું. તે એ કે એક પુરુષે જન્મથી એવા પ્રકારની ઇચ્છા કરી હતી કે મહાવીરના સત્ય માર્ગનો મારે ઉદ્ધાર કરવો છે. પણ સાથે-સાથે એવી ભાવના કે, મહાવીરના વિતરાગ માર્ગનો ઉદ્ધાર ક૨વા માટે મને સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવવો જોઈએ. અને એ ઉદય આવે તો આ સત્યધર્મને ફરીથી સ્થાપિત કરું. કાળ બળને કા૨ણે છિન્ન-વિચ્છિન્ન અને ખંડ-ખંડિત થયેલા જિનેશ્વરના માર્ગનો હું ઉદ્ધાર કરું અને અખંડ અને સનાતન માર્ગની ફરીથી સ્થાપના કરું. એ માટે જે અધિકાર પ્રાપ્ત થવો જોઈએ – તે કર્મનું બાહુલ્ય એટલું બધું છે કે એ અધિકાર પ્રાપ્ત થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય કે ન પણ થાય. કાળ સામે નજર નાખતાં, અંદરથી ભાસ થાય છે એટલે એમણે ૭૦૮નાં પત્રમાં લખ્યું’કે નજ૨ નાખતાં આવો કોઈ પુરુષ બીજો દેખાતો નથી અને ફરીફરીને એ ઉપયોગ પોતાના ઉપર જ આવે છે.’ ભગવાન શ્રી મહાવીરના નિર્વાણ વખતે જે અશુભ ભસ્મગ્રહનું ધર્મ ઉપર આવરણ આવી ગયું હતું, ૨૫૦૦ વર્ષ માટે, તેમાંથી આ માર્ગને પૂર્ણ પ્રકાશિત કરવા માટે ફરી પોતા ઉ૫૨ જ નજર પડે છે. સર્વસંગ પરિત્યાગ તો ઉદયમાં નથી, પણ દશાનું એટલું બધું ઉચ્ચપણું છે, દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્વળ અનુભવ છે.’ અને આ દશામાંથી આ જ્ઞાનનો સૂર્ય પ્રગટે છે. એ જ માધ્યમ એમણે મુમુક્ષુઓ સાથેનું રાખ્યું છે. “પત્રવ્યવહાર.” એ પત્રવ્યવહારનું માધ્યમ આ પુરુષે પકડી લીધું અને તમામ મુમુક્ષુઓના પ્રતિનિધિ એવા સોભાગભાઈએ, સત્યધર્મનો ઉદ્ધાર કરવા માટે, આ વાત ભગવાન પાસે મૂકી દીધી. હવે તો, તે પરબ્રહ્મ કેવળ નિર્વિકાર છતાં પ્રેમમય પરાભક્તિને વશ છે.’ એ પરબ્રહ્મ ગમે તેવા વીતરાગ હોય પણ કરુણાના સાગર છે. આ જ્ઞાની પુરુષોની કરુણા છે. જગતના જીવો આત્મઅવસ્થાને પામે, સમાધિને પામે, અનઅવકાશે આખો લોક આત્મસ્વરૂપને પામે એવો સનાતન સંપ્રદાય જ્ઞાનીઓનો છે. ઋષભદેવથી માંડીને વધર્માંન સુધીના બધાજ તીર્થંકરોએ આવી કરુણાથી સભર પોતાનું જીવન વિતાવ્યું છે અને મહાત્માનો દેહ બે કારણથી વિદ્યમાન હોય છે. પૂર્વે નિબંધન કરેલાં પોતાનાં કર્મો ખપાવવા માટે અને જગતના જીવોના ઉદ્ધાર માટે. પોતે તો પોતાના કર્મો ખપાવવાનો પ્રચંડ પુરુષાર્થ શરૂ કરી દીધો છે. કેવળ આત્માકારતા થઈ ગઈ છે. દશા તો એવી છે કે દેહનું પણ ભાન રહેતું નથી. દેહભાવ દેખાડવો પાલવતો નથી. આવી દશા ઉપલબ્ધ કરી છે. ઉદયનાં કારણે બાહ્ય કર્મો થયાં કરે છે. લઈએ છીએ, દઈએ છીએ. આત્મા એમાં ક્યાંય લેપાતો નથી. આત્મસમાધિનું અખંડપણું એથી બાધા પામતું નથી. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્મસ્વરૂપની પૂર્ણ પ્રતીતિ વર્તતી હોવાનાં કારણે છે. આવો અદ્ભુત યોગ દેહ ધારણ કરવાનું પહેલું કારણ તો પૂરું થવા આવ્યું છે પૂર્વ કર્મો ખપાવવા). તેમાં પુરુષાર્થ ચાલુ જ છે અને હવે બીજું કામ – જગતના જીવોનું કલ્યાણ કરવાનું છે અને જીવોનું કલ્યાણ શાથી થાય ? સર્વજ્ઞના માર્ગને પ્રકાશિત ક૨વાથી, તીર્થંકરનો જે માર્ગ, સર્વજ્ઞ ૫રમાત્માનો માર્ગ, જે ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 24 ITE
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy