SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ માટે એ વનો ધર્મ છે એમ કહીશ મા ! કારણ કે ધર્મ હોય તો એનું ટળવાપણું હોય નહિ. પણ અહીં તો જો ચેતન ન કરે તો કર્મભાવ રહેતો નથી, કર્મ થતાં નથી. એનો મતલબ કે કર્મનું ટળવાપણું છે, અને કર્મનું ટળવાપણું છે એ બતાવે છે કે કર્મ જીવનો ધર્મ નથી. તેમ જ નહિ જીવ ધર્મ.’ કર્મ એટલે આ પ્રકારનું – એવું આત્માનું પરિણામ, જેના કારણે આવી પુદ્ગલ વર્ગકાઓ જીવની સાથે બંધાય. કેમ કે જેવો જીવ કર્મ કરે કે કર્મ બંધ પડે છે. જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે, અને સ્વભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે નહિ.” ઉપદેશછાયા-૪-માં ભગવાને કહ્યું છે. તો ક્રિયા એ કર્મ. એ કર્મ બંધના રૂપમાં છે. આ બંધ સમજવા જેવો છે. એ પુદ્ગલ પરમાણુનો બંધ, વ પરભાવ પ્રત્યેની આસક્તિને કારણે, અજ્ઞાનના કારણે, મોહ પરિણામના કારણે, જે ભાવ કરે, તેના કા૨ણે એ પુદ્ગલનાં પરમાણુઓ છે તે વના ભાવનું નિમિત્ત મેળવીને જીવ સાથે જોડાઈ જાય છે. આત્માના પ્રદેશ સાથેનો બંધ પડે છે. અને જેવી પ્રકૃતિનો બંધ પડે તેવી પ્રકારનું પરિણામ આવતું જાય. જો જ્ઞાનાવરણીય કર્મ હોય તો જીવનાં જ્ઞાનગુણને આવરી નાંખે. જો દર્શનાવરણીય કર્મ હોય તો જીવનાં દર્શનગુન્નને આવરે. જો મોહનિય કર્મ હોય તો જીવને સ્વરૂપની ભ્રાંતિ જ કરી નાખે. પોતાની જાતને ઓળખવા ન દે. આવી પ્રકારનું કર્મનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ સહજ સ્વભાવથી નથી. ચેતન કરે તો થાય. અને ચેતન ન કરે તો ન થાય. એટલે ‘કર્મ જીવનો ધર્મ છે’ એ વાત પણ યથાર્થ નથી. એમ સદ્ગુરુ કહે છે. કેવળ હોત અસંગ જો, ભારાત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. (૭૬) કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપુર્ણ ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? ૫રમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય.' ? શિષ્ય કહે છે, “પ્રભુ ! જીવનું સ્વરૂપ તો અસંગ છે. તેમાં કર્મ ક્યાંથી આવ્યા ? પુદ્ગલ ક્યાંથી આવીને બંધાયા ? તમે જે પહેલાં અને બીજા પદમાં આત્માની વાત કરી, એમાં તો વનું સ્વરૂપ અસંગી, અરૂપી, અમૂર્ત છે એમ આપે કહ્યું તો એને આ કર્મ કેમ વળગ્યા ” એનો ગુરુ જ્વાબ આપે છે. કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ” હે શિષ્ય ! આ જીવ અસંગ છે. પણ કેવળ અસંગ નથી. એ જ્યારે પોતાની પરમશુદ્ધ, મુક્ત, ચૈતન્યમય અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એ અસંગ કહેવાય. અસંગ છે પરમાર્થથી.' ત્યાં સુધી એ સંગી છે. સંયોગી છે, અને એ જ વાત કૃપાળુદેવ જડ-ચેતન' પદમાં લખી છે. જડ-ચેતન સંયોગ આ ખાત્ર અનાદિ અનંત; કોઈ ન ક તેહનો; ભાખે શ્રી ભગવંત.’ જિનેશ્વર ભગવંતોએ એમની દેશનામાં ભાખ્યું છે, એમને સર્વજ્ઞાન થયા પછી એ જ્ઞાન કે જેમાં એને ત્રણે કાળ, ત્રણે લોકના, જગતના બધા જ દ્રવ્યની, બધી જ પર્યાયોને જે યુગપથ જારે છે. આવું = શ્રી આત્માસિદ્ધિ-શાસ્ત્ર - 193 -
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy