SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તતત્વ મીમાંસાઃ વ્યાધિત આદિ વ્યાધિમુક્ત નથી, તેમ સંસારી આદિ મુક્ત નથી (૫) (૧) જેને વ્યાધિ ઉપજે છે એ વ્યાધિત અથૉત્ વ્યાધિવાળે મનુષ્ય સન્યાયથી જોઈએ તે કદી પણ “વ્યાધિમુક્ત” કહી શકાય નહિ; કારણ કે વ્યાધિયુક્ત હોય તે વ્યાધિમુક્ત કેમ કહેવાય? તે તો વદવ્યાઘાત છે. (૨) અથવા વ્યાધિત આદિ જ્યાં વ્યાધિ-વ્યાધિવતને જ સચોડે અભાવ હોય, ત્યાં પણ વ્યાધિમુક્ત નથી વ્યાધિમુક્તપણું કેમ ઘટે? કારણ કે જ્યાં વ્યાધિવત જ પોતે નથી, ત્યાં વ્યાધિથી મુક્ત થાય કેણ? (૩) અથવા વ્યાધિતથી અન્ય એ તેને પુત્ર–ભાઈ આદિ પણ વ્યાધિમુક્ત કહી શકતું નથી. કારણ કે વ્યાધિયુક્ત જુદે ને વ્યાધિમુક્ત થનાર જુદો-એમ કેમ બને? આમ રોગી હોય તે રોગમુક્ત કેમ કહેવાય? અથવા રોગીને જ જ્યાં અભાવ છે, ત્યાં રોગમુક્ત થશે કે? અથવા રેગી બીજે ને રોગમુક્ત–સાજો થાય બીજો, એ પણ કેમ ઘટે? માટે સન્નીતિની રીતિએ જતાં રોગી કે રોગીને અભાવ કે રોગીથી અન્ય કદી પણ “રોગમુક્ત” કહેવો ઘટે નહિં. કારણ કે આ ત્રણેય પક્ષ પ્રત્યક્ષબાધિત છે, દષ્ટ-ઈષ્ટ વિરુદ્ધ છે. એટલે આ ઉપરથી એ ફલિત થાય છે કે રોગીને જે રોગમુક્ત કહે, અથવા રોગીના અભાવને જે રોગમુક્ત કહે, અથવા રેગીને બદલે બીજાને જે રોગમુક્ત કહે છે તેનું પ્રગટ બ્રાંતપણું જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિપર્યાલ જ છે.. દાષ્ટ્રતિક જન કહે છે – संसारी तदभावो वा तदन्यो वा तथव हि। मुक्तोऽपि इन्त नो मुक्ते मुख्यवृत्त्येति तद्विदः ॥२०५।। સંસારી તસ અભાવ વા, તેથી અન્ય જ તેમ; મુક્ત પણ મુક્ત મુખ્ય ના, વહે યેગવિદ્દ એમ, ૨૦૫ અર્થ–તેમજ સંસારી, અથવા તેને અભાવ, અથવા તેનાથી અન્ય, તે મુક્ત કહે છતાં મુખ્ય વૃત્તિથી મુક્ત નથી, એમ તે મુક્તના જાણકારો કહે છે. વિવેચન તેમ જ સંસારી પુરુષ, અથવા તે પુરુષને અભાવ માત્ર જ, અથવા તેનાથી એકાંતે અન્ય,–તે મુક્ત છતાં મુખ્ય વૃત્તિથી–પરમાર્થથી મુક્ત નથી, એમ તે મુક્તના જ્ઞાતા પુરુષે કથે છે. વૃત્તિ-સંતાન-પુરુષ, તમારો વાઅથવા તેને અભાવ, પુરુષ અભાવ માત્ર જ, તો વા-અથવા તેનાથી અન્ય, એકાંતલક્ષણ એવો તેનાથી અન્ય, તથૈવ હિતેમ જ, જેમ દૃષ્ટાંતમાં છે તેમ શું ? તે કેમુત્તોડ િન્ત નો મુeો મુરારા-મુક્ત કહે છતાં અહો ! મુખ્યવૃત્તિથી મુક્ત નથી, ત્રણેયના–તેના પ્રવૃત્તિનિમિત્તના અભાવને લીધે. સૃતિ તદ્િવ-એમ તવિદો તેના-જાણકારે, મુક્તના જ્ઞાતાઓ એમ કહે છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy