SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૨) યોગદરિસમુચય બીજી કઈ રીતે ઘટશે નહિં. આમ સત્વ જ રહેશે, સતપણું જ રહેશે, વસ્તુ સદા સતસ્વરૂપ જ સાબિત થશે, માટે તમે માનેલું સતનું અસત્વ અયુક્ત છે-મિથ્યા છે. (૨) એટલે સકંજામાં આવેલ વાદી મુંઝાઈને સતવિનાશ પક્ષને પકડીને કહે છે કેનાશાત્મક ભાવને લીધે આગલી-પાછલી ક્ષણે નાશ તે છે જ એમ અમે પણ માનીએ છીએ. ત્યારે તેનો જવાબ આપે છે કે–સદા નાશ માનવામાં આવ્યું તેની સ્થિતિ જ નહિ હોય. તમે કહો છો તે વિવક્ષિત ક્ષણે પણ તેનું અસ્તિત્વ જ નહિં રહે, એટલે તમે માનેલું સત સદા અસત્ જ થઈ પડશે. આમ સતનું અસત્ત્વ માનવાથી (૧) અસત ઉત્પાદ– અભાવ ભાવ થશે, (૨) એટલે અસત્વ વિનાશ થશે અર્થાત અભાવ ભાવને અભાવ થશે, (૩) એટલે કે ભાવને તે જ રૂપે પુનર્ભવ થશે. અર્થાત ભાવ ભાવ થશે, વસ્તુ સદા ભાવરૂપ જ સિદ્ધ થશે. અથવા-સતવિનાશ માનવાથી વસ્તુ સદાય અભાવરૂપ સિદ્ધ થતાં, ક્યારેય પણ તેની સ્થિતિ નહિ હોય. આકૃતિ ઃ ૧૯ | િ૦ ૦ ૦. ભાવ ભાવ ભાવ [ અભાવ ઉત્પાદઅભાવ નાશ ] ક્ષણિકવાદી { અભાવ અભાવ અભાવ અભાવ [ સદા ના] X લાવ x x x स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ । युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ॥१९६॥ ક્ષણસ્થિતિ ધર્મ યુત વળી, જો માને તે નાશ; તે દ્વિતીય આદિ ક્ષણે, હેતાં સ્થિતિ જ તાસ: ક્ષણસ્થિતિ ધર્મકપણું, એ જ યુક્ત એનુંય; અને તેમ તે જે કહ્યું, તે યથાર્થ બધુંય, ૧૯૬૦ અર્થ :–તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળે છે એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે, આ અધિકૃત ભાવનું આ ક્ષણસ્થિતિધર્મકપણું યુક્ત છે, અને એમ સતે ઉક્તને અનતિક્રમ હેય છે, અર્થાત જે કહ્યું તેનું ઉલ્લંઘન થતું નથી. વિવેચન તે નાશ જે ક્ષણસ્થિતિ ધર્મવાળે ભાવ જ છે, એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે આ પ્રસ્તુત ભાવનું ક્ષણસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, અને એમ સતે ઉપરમાં કહેલી વાતનું ઉલ્લંઘન થતું નથી. વૃત્તિ:-સ: તે નાજ, ક્ષતિષ જેત-જે ક્ષણસ્થિતિધર્મવાળે ભાવ જ છે, આ આશંકાને કહે છે-હૂિતીયાક્ષિકે ચિતૌ-દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સત, શું? તો કે–પુરાતે હેતરિ–આ પણ યુક્ત છે, ક્ષમુસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, બચ-આનું, અધિકૃત ભાવનું, તથા ૨-અને તેવા પ્રકારે, એમ સતે, સારતિમ –ઉક્તને અનતિક્રમ છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy