SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) ગદરિસમુચ્ચય પરા દૃષ્ટિનો સાર પરાદષ્ટિ સમાધિનિષ્ટ છે. તે સમાધિના આસંગ દેષથી રહિત એવી હોય છે, અને ચંદનગંધ ન્યાયે તે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી હોય છે, અર્થાતુ આત્મસ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિવાળી હોય છે. આમાં યોગી સર્વ આચારથી પર એવા નિરાચાર પદવાળો હોય છે. અને કારણ અભાવે તેને અતિચાર હોતે નથી; અર્થાત્ તેને કઈ આચાર પાળવાપણું રહ્યું નથી અને તેથી તેને કોઈ અતિચાર દોષની સંભાવના પણ નથી. આરૂઢને આરહણને જેમ અભાવ હોય છે, ચઢેલાને જેમ ચઢવાનું હતું નથી, તેમ આ ગારૂઢ પુરુષને આચાર વડે જીતવા ગ્ય કર્મના અભાવે નિરાચાર પદ હેય છે. તે પછી તેને ભિક્ષાટન આદિ આચાર કેમ હોય છે? તે શંકાનું નિવારણ એ છે કે-રત્ન આદિની શિક્ષાદષ્ટિઓ કરતાં જેમ તેના નિયોજન વિષયમાં શિક્ષિતની દૃષ્ટિ જુદી હોય છે, તેમ આ યોગીની તે જ આચારક્રિયા પણ ફલભેદે કરીને જુદી હોય છે; કારણ કે પૂર્વે તેનું સાંપરાયિક (કષાય સંબંધી) કર્મક્ષય ફલ હતું, ને હવે તે ભોપગ્રાહી કર્મક્ષય ફલ છે. તે રત્નને નિયોગથી-વ્યાપારથી અહીં લેકમાં તે મહાત્મા રત્નવણિફ જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધર્મ સંન્યાસ વિનિયોગથી-વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. આ મુખ્ય ધર્મસંન્યાસ બીજા અપૂર્વકરણમાં ઉપજે છે, અને તેના થકી નિરાવરણ એવી કેવલશ્રી હોય છે, કે જેને કદી પ્રતિપાત ન થતો હોવાથી સદેદયાસદા ઉદયવંત હોય છે. ચંદ્રની જેમ જીવ પિતાની ભાવશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી “સ્થિત જ' છે, કાંઈ સ્થાપવાનો નથી. અને જે વિજ્ઞાન છે તે ચંદ્રિકા જેવું છે. તે જ્ઞાનનું આવરણ તે મેઘપટલ જેવું-વાદળ જેવું છે. આ વાદળા જેવું ઘાતિક છે, તે આ ધર્મસંન્યાસ ગરૂપ વાયુના સપાટાથી જ્યારે ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાન મુખ્ય એવા પરાક્રમગથી જ્ઞાનકેવલી થાય છે. એટલે કે સકલ રાગાદિ દેષના પરિક્ષય થકી ક્ષીણુદોષ એવા તે તક્ષણ જ નિરાવરણ જ્ઞાન કરીને સર્વજ્ઞ હોય છે, અને સર્વ લબ્ધિફલના ભેગી હોય છે. આવા તે શ્રીમદ્ સર્વજ્ઞ ભગવાન્ મહામુનિ પરાર્થ–પરોપકાર કરીને પછી યુગના અંતને પામે છે. ત્યાં યોગાનમાં-શૈલેશી અવસ્થામાં શીધ્ર જ પાંચ હસ્વ અક્ષર ઉચ્ચારણ માત્ર કાળમાં તે ભગવાન ગોત્તમ એવા અયોગ થકી ભવ્યાધિનો ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે. ક્ષીણ દેવ સર્વ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યેગ અગીજી; સવ શત્રુ ક્ષય સર્વ વ્યાધિ લય, પૂરણ સવ સમીતાજી, સવ અરથ વેગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહાજી. ”–શ્રી કે. સઝાય.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy