SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : કુતર્ક દૂષણુાભાસપ્રધાન પ્રતીતિ–ફલ બાધિત આ, જાતિપ્રાય સહુ જ૫; જ્યમ ‘હાથી હણો' કન્ને, પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ. ૯૧. (૩૩૫) અઃ—અને પ્રતીતિફલથી બાધિત એવા આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–દૂષણાભાસપ્રધાન છે. ‘હાથી મારી નાંખશે' એવુ કહ્યુ, હાથી પામેલાને-પાસે રહેલાને હશે ? કે નહિ પામેલાને-દૂર રહેલાને હણશે ?-એવા વિકલ્પની જેમ. વિવેચન અને જે આ સ કૃત છે તે સર્વ જાતિપ્રાય છે, દૂષણાભાસપ્રધાન છે. જ્યાં હોય ત્યાં દૂષણાભાસ શેાધી કાઢવું એ એનું કામ છે ! દૂષણુ નહિ–પણ દૂષણ જેવા આભાસ આપતું, દૂષણ જેવું દેખાતુ કઇ પણ છિદ્ર શેાધી કાઢવું એ કુતર્કનું કામ છે ! દૂધમાંથી પેારા કાઢવા' જેવુ... છલ નિર્દોષ નિરવદ્ય વસ્તુમાં પણ શેાધી કાઢવું એ ખલ કુતર્કનું કુશલપણુ છે! t वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुद्भावनम् । દૂષળ નિયે તુ દૂધળામાસનામમ્ ॥” શ્રી સિદ્ધસેનદિવાકરકૃત ન્યાયાવતાર ૪ આવો આ કુતર્ક પ્રતીતિથી અને ફૂલથી બાધિત છે, એટલે કે ગમે તેવા કુતર્કથી પણ પ્રતીતિ ઉપજતી નથી, અને તે માન્યામાં આવતા નથી, સદા સશયાત્મકતા રહે છે. ને ‘સંશયાત્મા વિનતિ' સ ́થયી જીવ વિનાશ પામે છે. કુતર્ક પ્રતીતિ- તેમજ તેથી કાંઈ ફૂલ પ્રત્યેાજન સિદ્ધ થતું નથી. ખાલી નકામી માથાફ્ટ બાધિત ફોડ થાય છે. એ માટે અત્રે રમૂજી દાંત રજૂ કયુ" છે કે—હાથી મારી નાંખશે એમ મહાવતે કહ્યુ, હાથી પાસે રહેલાને હણે ? કે દૂર રહેલાને હશે ? એવો વિકલ્પ જેમ કોઇ ખાર–જડ કરે, તેની જેમ અત્રે સમજવાનું છે. નિકટ હાથી હગ્રેજી, જ્યમ એ મઠર વિચાર.' આ દૃષ્ટાંતને સાર આ પ્રમાણે: દૂર કાઇ તૈયાયિક છાત્ર ( વિદ્યાથી ) કયાંકથી આવ્યા. અવશ—નિરંકુશ થઇ ગયેલા ગાંડા હાથી પર ચઢેલા કાઇએ બૂમ મારી અરે ! અરે ! જલ્દી દૂર ખસી ન! ( નહિં તે ) હાથી મારી નાંખશે. ’ એટલે તેવા પ્રકારે જેને ન્યાયશાસ્ત્ર પરિણત ન્હાતુ –જે ભણ્યા પણુ ગણ્યા ન્હોતા એવા તેણે કહ્યું- ૨૨ ! બહેર ! આમ યુક્તિબાહ્ય કેમ પ્રલપે છે ? કારણ કે, શું આ પ્રાપ્તને હણે છે ? કે અપ્રાપ્તને ? આદ્ય પક્ષમાં હારી જ વ્યાપત્તિને ( મરણના ) પ્રસંગ છે, પ્રાપ્તિભાવને લીધે. એમ જ્યાં તે કહે છે, ત્યાં તા તેને હાથીએ દ્યો-પકડ્યો. તેને માંડ માંડ મ્હાવતે મૂકાવ્યા. જાતિપ્રાયતા । સત્ર ભિન્ન અ`ગ્રહણુ સ્વભાવવાળા સંવેદનના વેદનમાં હોય છે; તદ્ભુત ( તેમાં પ્રાપ્ત થતા ) આકારરૂપ વિકલ્પનના એવં પ્રાયપણાને લીધે, એમ અન્યત્ર ચર્ચવામાં આવ્યું છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy