SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ : યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણું (૫૦૯) (૬) મિત્રી આદિ યુક્ત ચિત્ત–આગલી દૃષ્ટિએમાં કરેલી ગસાધનાથી ચિત્ત મિત્રી આદિ ભાવથી ભાવિત હોય છે. (૭) વિષયે પ્રત્યે અચેત-વિષય પ્રત્યે ચિત્ત અચેત હોય છે. (૮) પ્રભાવવંતપણું–ગ પ્રભાવથી યેગી પુરુષને બીજુ ચિહન કોઈ એર પ્રભાવ ઝળકે છે. જેથી સામે માણસ અંજાઈ જાય છે, ને તેના પર ચમત્કારની સ્વાભાવિક છાપ પડે છે. જેની પુરુષને જોતાં જ આ કઈ પ્રભાવિક પુરુષ છે એવી સ્વયંભૂ સહજ અસર ઉપજે છે. (૯) ધૈર્યવંતપણુંપરમ આત્મનિર્ભયતાથી મેગી સમ્યગદષ્ટિ પુરુષનું બૈર્ય અસાધારણ-અલૌકિક હોય છે. (૧૦) દ્વન્દ્ર અધૃષ્યત્વ–સુખ-દુઃખ, રાગ-દ્વેષ, લાભ-હાનિ, માન-અપમાન, હર્ષ–શેક, જન્મ-મૃત્યુ આદિ દ્વદ્વોથી યેગીનું અવૃષ્યપણું હોય છે. અર્થાત્ તે તે દ્વન્દોથી સમ્યગદષ્ટિ પુરુષ ક્ષેભ પામતા નથી, ચલાયમાન થતા નથી, ગાંજ્યા જતા નથી, ડરતા નથી, ગભરાતા નથી. તે તે દ્રોને ભાર નથી કે યેગી પુરુષને વાળ વાંકે કરી શકે. (૧૧) જનપ્રિયત્વ–આવા સમ્યગદષ્ટિ પુરુષ કપ્રિય હોય છે. એમનું દર્શન થતાં લોકોને આનંદ ઉપજે છે, અને કુદરતી પ્રેમ કુરે છે, એવા તે પ્રિયદર્શન હોય છે.–આ બધા યોગના બીજા ચિહ્ન છે. ધીર પ્રભાવી રે આગલે યેગથી, મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઈષ્ટને રે ઠંદ્ર અધૂળ્યતા, જનપ્રિયતા હોય નિત્ય....ધન ધન” –શ્રી રોગ સ. ૬-૨. (૧૨) દેષ વ્યપાય-રાગ, દ્વેષ–મોહ આદિ દોષ દૂર થાય છે, અથવા અત્યંત મંદ થાય છે, મેળા પડે છે. જેમ જેમ સમ્યગદર્શનની દઢતા થાય છે, તેમ તેમ રાગ શ્રેષ–મેહ એ ત્રિદેષનું જોર ઓછું થતું જાય છે. (૧૩) પરમ તૃપ્તિનિષ્પન્ન થેંગના આત્માધીન એવા આત્માનુભવથી ઉપજતા સુખથી સમ્યગ્દષ્ટિને પરમ ચિહન તૃપ્તિ ઉપજે છે. શુદ્ધ ચૈતન્યરસના આસ્વાદથી તે એટલા બધા આત્મતૃપ્ત થઈ ગયેલ હોય છે, એટલા બધા ધરાઈ ગયેલ હોય છે, કે તેને પછી બાકસબુકસ જેવા બીજા રસ ગમતા નથી. (૧૪) ઔચિત્ય ચોગ–સમ્યગદષ્ટિ સર્વત્ર ઔચિત્યથી–ઉચિતપણે, ઘટિતપણે પ્રવર્તે છે. જ્યાં જ્યાં જે યંગ્ય છે ત્યાં ત્યાં તે તે આચરે છે. (૧૫) ભારી સમતા–સમ્યગદષ્ટિને સર્વત્ર કેઈ અપૂર્વ સમતા વર્તે છે. (૧૬) વૈરાદિ નાશ-સમ્યગદષ્ટિને વૈર-વિરોધ, કલેશ આદિને નાશ સહજમાં થઈ જાય છે, કારણ કે વૈર વિરોધાદિ કરીને કઈ ગાંઠે બાંધવા છે? એમ સમ્યગદષ્ટિ વિચારે છે. તેમજ અહિંસક સમ્યગદષ્ટિના સનિધાનમાં વૈરાદિને નાશ થાય છે, એવો તેમને ઉગ્ર મહાપ્રભાવ વત્તે છે. યેગી પુરુષોની હાજરીમાં હિંસક પ્રાણીઓ પણ પોતાના જાતિવૈર ભૂલી શાંત થઈ જાય છે. (૧૭) ઋતંભરા બુદ્ધિ“ઋd વિમર્તરિ ઋતંમર' અર્થાત ત એટલે સત્યને જ જે ધારણ કરે છે, કદી પણ વિપર્યયથી આચ્છાદિત થતી નથી તે તંભરા
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy