SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાષ્ટિ : ધર્મજન્ય ભાગ પણ અનિષ્ટ,-ચંદનઅગ્નિવત્ (૫૦૫) અત્યંત ખેદ વત્તા હતા, અને મહામુનિવરોને પણ દુંભ એવી પરમ ઉદાસીન અદ્ભુત વૈરાગ્યમય ભાવનિગ્રંથદશા ને ઉત્કટ આત્મસ્થિતિ તેમને વત્તતી હતી, અખડ આત્મસમાધિ અનુભવાતી હતી,-એ એમના આત્માનુભવમય વચનામૃત પરથી નિષ્પક્ષપાત અવલેાકનારને પદે પર્દે સુપ્રતીત થાય છે. પણ આવા અપવાદરૂપ (Exceptional -Extraordinary) જલકમલવત્ નિલે પ મહાનુભાવ સમ્યગ્દૃષ્ટિ મહાત્માએ વિરલ જ હાય છે, અતિ અતિ અલ્પ હોય છે. ત્રિકાળ વૈરાગ્યવત તેમના ચિત્તસમુદ્રના તાગ લેવાનું કે અનુકરણ કરવાનું ખીજાનું ગજું નથી; તેમ કરવા જતાં ખીજા પ્રાકૃત જના તે ખત્તા જ ખાય! આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીનું જ મનનીય વચનામૃત છે કેઃ— “ વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભાગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્ત્તવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સભવે એમ થવુ કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણુ' થવુ. સભવતુ નથી. માત્ર ઉદય વિષયે ભાગવ્યાથી નાશ થાય; પણ જો જ્ઞાનદશા ન હેાય તે વિષય આરાધતાં ઉત્સુક પરિણામ થયા વિના ન રહે; અને તેથી પરાજિત થવાને બદલે વિષય વમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષા વિષયાકાંક્ષાથી અથવા વિષયને અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્ત્તતા નથી, અને એમ જો પ્રવર્ત્તવા જાય તેા જ્ઞાનને પણ આવરણુ આવવા ચેાગ્ય છે. માત્ર પ્રારબ્ધ સબંધી ઉદય હાય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મં પિરણામ સયુક્ત હેાય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણુ* કરી ખંધાવા સંભવ છે, કેમકે જ્ઞાની પુરુષ તે પ્રસંગને માંડ માંડ જીતી શકયા છે, તેા જેની માત્ર વિચારદશા છે એવા પુરુષના ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૯ (૫૯૧) જ છે. છતાં ચંદનના સ્વભાવ છે. તેમ ધર્મ આમ સામાન્યપણે ધર્માંજનિત ભોગ પણ અનર્થરૂપ થઇ પડે છે એ નિયમ છે, છતાં સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને તેમ નથી પણુ થતા એ અપવાદ છે. અત્રે ચંદનનું દૃષ્ટાંત ઘટે છે. ચંદન જો કે સ્વભાવથી શીતલ ચંદનના અગ્નિ અગ્નિ વનને ખાળે જ છે, કારણ કે તેવા તેના પણ ખાળે પણ સ્વભાવે શીતલ—શાંતિપ્રદ છતાં, ધર્મજનિત ભાગ પણ અંતર્દાહ ઉપજાવે જ છે. કવચિત્ અપવાદે ચંદનનેા અગ્નિ મત્રથી સ'સ્કારવામાં આવતાં મંત્રસિદ્ધ વિદ્યાધર પુરુષને નથી પણ દઝાડતા. તેમ કેઈ અપવાદરૂપ તીર્થંકરદ સમ્યગ્દષ્ટિ જેવા ઉત્તમ પુરુષવિશેષને ધમ જનિત ભોગ અન હેતુ નથી પણ થતા. કારણ કે તેવા ભાવિતાત્મા આત્મ-વિદ્યાધર પુરુષાએ અનાસક્ત ભાવથી વાસનાનું વિષ કાઢી નાંખ્યુ હોય છે. એટલે તેમને ભોગનું ઝેર ચડતું નથી! બીજા અજ્ઞાની જાને
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy