SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૦) ગદષ્ટિસમુચય દેવો! આ સ્વામીભક્ત સેવકો ! આ નંદનવન ! આ કલ્પવૃક્ષો ! આ પંચ વિષયની સંપૂર્ણ સામગ્રી ! અરે રે ! આ બધું છોડીને હારે હવે ચાલ્યા જવું પડશે. આના મને પુનઃ કયારે દર્શન થશે?” ઈત્યાદિ અંતસ્તા૫પૂર્વક ચિંતવતા તે ચિંતાસાગરમાં નિમગ્ન થઈને છેલ્લા છ માસ યુગોની જેમ અફસોસમાં ને અફસમાં કેમે કરીને વીતાવે છે. આમ દેવલેકમાં પ્રાયઃ ધર્મથી પ્રાપ્ત થયેલ ભોગ ભોગવતાં પ્રમાદમાં જીવન વ્યતીત થાય છે, અને સ્વરૂપષ્ટતાથી તે આત્માને અનર્થને હેતુ થઈ પડે છે. આ સ્વર્ગલોકની વાત જવા દઈએ, અને પ્રત્યક્ષ દશ્યમાન એવા મનુષ્યાદિની સ્થિતિને વિચાર કરીએ, તે પણ તેમજ પ્રતીત થાય છે. પ્રબળ પુણ્યદયથી ઉત્તમ રાજ્યલક્ષ્મીને પામેલ એવા રાજાદિનું આંતરુ જીવન જે તપાસીએ, તે રાજાદિનું તે ભોગવિલાસાદિમાં કે રાજ્યચિંતાદિમાં એટલા બધા વ્યગ્ર થઈ પ્રમાદ જીવન ગયેલા દેખાય છે, એટલા બધા પ્રમાદમાં પતિત–પડી ગયેલા જણાય છે, કે તેઓને “ધર્મકાર્ય માટે “કુરસદ” મળતી નથી ! નવરાશ જડતી નથી ! એટલું જ નહિં પણ રાજ્યભારરૂપ પુષ્પશપ્યામાં નહિં–પણ કંટકશામાં પોઢી ગયેલા તે મહાનુભાવોને “ધર્મ” જેવી કઈ વસ્તુ જગતમાં છે કે નહિં તેની પણ ભાગ્યે જ ખબર પડે છે! જે ધર્મના જ પ્રસાદથી આ પુણ્યવૈભવ સાંપડ્યો છે, તે ઉપકારી મૂળ ધર્મનું જ વિસ્મરણ કરી આ બાપડા દુઃખીઆ જ કૃતજ્ઞપણું આચરે છે ! ને પ્રમાદમાં અવતાર એળે ગુમાવે છે! “Unhappy lies the head, that wears the crown.' અથવા તે મહાશ્વર્ય સંપન્ન એવો કઈ શ્રીમંત ધનાઢ્ય હોય, તો તેની પણ એ જ બૂરી દશા છે. કારણ કે લાડી, વાડી ને ગાડીનું સુખ જેને ઘેર હોય છે, બાગ, બંગલા ને બગી સદા જેની તહેનાતમાં હોય છે, પાણી માગતાં દૂધ જેની પાસે શ્રીમતના હાજર થાય છે, એવા શ્રીમંત ધનાઢ્ય જનની જીવનચર્યા નીરખીએ પણ એ જ તે તે પણ એવી જ પ્રમાદાચરણથી ભરેલી હોય છે. કારણ કે ત્રદ્ધિહાલ! ગારવ, રસગારવ ને શાતાગારવના ગારામાં ગુંચીને ગરકાવ થઈ ગયેલા હોઈ, તેઓ કાં તે એશઆરામમાં ને વૈભવવિલાસમાં એટલા બધા “પડી ગયા” હોય છે, ચાર દિવસની ચાંદની જેવા જીવનની “બે ઘડી મોજ' માણવામાં એટલા બધા અપ્રમાદી બની ગયા હોય છે, હાય! રહી જશે એમ જાણી જીવનનો લ્હાવો લૂંટવાની તાલાવેલીમાં એટલા બધા લટ્ટ બની ગયા હોય છે, કે ધર્મ જેવી કોઈ ચીજ જગમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ, તેનું પણ તેમને ભાન રહેતું નથી ! કે તે તેઓ ધનના મદમાં એટલા બધા છકી ગયા હોય છે, દોલતની દો–લત એમની છાતીમાં એટલા બધા જોરથી લાગી હોય છે, “ચિત્તસ્તબ્ધતા’ નામનું વિલેપન છાતી પર લગાવી તેઓ જાણે આકાશના તારા નિહાળતા હોય એમ એટલા બધા અક્કડ ને
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy