SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શિદષ્ટિઃ ધમજન્ય ભાગે પણ અનાથ હેતુ (૪૭) ન્હાનામાં ન્હાની ભોગસામગ્રી એવી નથી કે જેની ઉત્પત્તિમાં હિંસા ન હોય. આમ ભેગસામગ્રીમાં સર્વત્ર હિંસા વ્યાપ્ત છે અને હિંસા એ મોટામાં મોટું પાપ છે. એટલે સમસ્ત ભેગોત્પત્તિ સાથે પાપ સદા સંકળાયેલું હોય છે. (૨) વળી આ પાપ–સખાવાળી ભોગસામગ્રીની–વિષયસાધનની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યોને પ્રાયે પાપ પાર્જનથી ધનપ્રાપ્તિ કરવી પડે છે, આરંભ પરિગ્રહ સેવવા પડે છે, અને તેથી પણ મહાપાપ થાય છે. પૈસાની કમાણ માટે ભાગ્યે જ કોઈ એવો ઘધે હશે કે જે સર્વથા પાપમુક્ત ને અનવદ્ય હોય. તેમાં પણ અગ્નિકર્મ-વનકર્મ વગેરે પંદર કર્માદાની ધંધા તે વિશેષ વિશેષ પાપના કારણ હોઈ અત્યંત સિંઘ છે, અને આત્માથીને સર્વથા વર્ષે છે–દૂરથી ત્યજવા ગ્ય છે. આમ ભેગસાધન એવા ધનના ઉપાર્જનમાં પણ મહાપાપ છે. (૩) તેમજ ભેગના ઉપભેગમાં પણ મહાપાપ છે, કારણ કે તે તે ભેગસામગ્રી ભેગવતી વેળાએ રૂપ-રસાદિ વિષયના અભિલાષથી જીવના રાગ-દ્વેષ-મેહ આદિ વિકારની વૃદ્ધિ થાય છે. તેથી નિજ આત્માના ગુણને ઘાત થવાથી આત્મઘાતરૂપ ભાવહિંસા થાય છે, આત્માનું ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ થાય છે. આ પ્રગટ પાપ છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહે?” થી મોક્ષમાળા. આમ ભેગની ઉત્પત્તિમાં પાપ છે, ભેગની પ્રાપ્તિમાં પાપ છે અને ભોગના ઉપભેગમાં પણ પાપ છે. એટલે ભોગનો સખા પાપ છે એમ કહ્યું તે સર્વથા યથાર્થ છે, અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુને સમસ્ત ભેગપ્રવૃત્તિ વર્યા છે, તેમજ ભોગસાધનરૂપ આરંભ-પરિગ્રહ પણ ત્યાજ્ય છે. એમ જાણું સવેગરંગી સમગૂદષ્ટિ પુરુષ સમસ્ત વિષયભેગ પ્રવૃત્તિથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે, અને જેમ બને તેમ આરંભપરિગ્રહને સંક્ષેપ કરે છે. ધર્મભોગ સુંદર છે એવી પણ આશંકા દૂર કરવા માટે કહે છે– धर्मादपि भवन् भोगः प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि संभूतो दहत्येव हुताशनः ॥१६०॥ ત્તિ-ધર્મા મન મોજ-ધર્મ થકી પણ ઉપજ ભોગ-દેવકાતિમાં, પ્રો–પ્રાચે, બાહુલ્યથી, અનય દિના-પ્રાણીઓને અનર્થ અર્થ થાય છે,–તથા પ્રકારે પ્રમાદવિધાનથી. પ્રાયનું ગ્રહણ શુદ્ધ ધર્મક્ષેપી (શુદ્ધ ધર્મને આકર્ષનારા-ખેંચી લાવનારા) ભેગના નિરાસ અર્થે છે તેના પ્રમાદવના અયોગને લીધે, અત્યંત અનવદ્ય તીર્થંકરાદિ ફલશુદ્ધિને લીધે, તથા પુણ્યશુદ્ધિ આદિમાં આગમાભિનિવેશ થકી ધર્મસાર ચિત્તની ઉ૫પત્તિને લીધે, સામાન્યથી દષ્ટાંત કહ્યું–વનાર સંમૂત-તથા પ્રકારે શેત્ય પ્રકૃતિવાળા શીતલ ચંદનથકી પણ ઉપલે, શું? તે કે-રત્યેવ દુતાશન-દુતાશન–અગ્નિ રહે જ છે, દઝાડે જ છે,-તશાસ્વભાવપણાને લીધે પ્રાય: આ આમ જ છે, (તથાપિ, કેઈ નથી પણ દહ-સત્ય મંત્રથી અભિસંસ્કૃત અગ્નિથકી દાહની અસિદ્ધિને લીધે. આ સકલ લેકસિદ્ધ છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy