SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિઃ કુતકમાં અભિનિવેશ મુમુક્ષુને અયુક્ત (૩૨૯) ભાવશત્રુ છે, પરમાર્થરિપુ છે. બાહ્ય શત્રુ જેમ ભૂંડું કરે છે, અહિત કરે છે, તેમ આ ભાવશત્રુ જીવનું અકલ્યાણ કરવામાં કાંઇ બાકી રાખતું નથી, કારણ કુતર્ક ચિત્તને કે એના કારણે આર્ય પરમપૂજ્ય એવા પુરુષ-સદાગમ આદિને પ્રગટ ભાવશત્રુ અનાદર થાય છે, આશાતના-અવિનય–અપવાદ વગેરે નીપજે છે, અને તેથી જીવનું ભારી અકલ્યાણ થાય છે. શત્રુ જેમ સર્વનાશ કરવામાં સદા તત્પર હોય છે, તેમ જીવને આ ભાવશત્રુરૂપ કુતર્ક સદાય ચિત્તશક્તિને હાસ કરતે રહી, સર્વનાશ કરવા સદાય તત્પર રહ્યા કરે છે. એટલે જે કુતર્ક કરે છે, તે પિતે પિતાના દુશ્મનનું કામ કરે છે! પોતે પિતાને વૈરી બને છે! અને કારણ કે એમ છે, તેથી શું ? તે માટે કહે છે – कुतर्केऽभिनिवेशस्तम्न युको मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले समाधौ च महात्मनाम् ।। ८८॥ તકે અભિનિવેશ ના, મુક્તિવાદીને યુક્ત; પણ કૃત શીલ સમાધિમાં, મહાત્માને એ યુક્ત ૮૮ અર્થ–તેથી કરીને મુક્તિવાદીઓને-મુમુક્ષુઓને કુતકમાં અભિનિવેશ કર યુક્ત નથી; પણ થતમાં, શીલમાં અને સમાધિમાં અભિનિવેશ કરે એ મહાત્માઓને યુક્ત છે. વિવેચન આવા જે ઉપરમાં કહ્યા તે લક્ષણવાળા કુતર્કમાં અભિનિવેશ કરે તે મુક્તિવાદીએને–સંન્યાસીઓને-મુમુક્ષુઓને કોઈ પણ રીતે યુક્ત નથી, કારણ કે યુક્તિમાં મતિને ન જોડવીઝ અને મતિમાં યુક્તિને પરાણે જેડવી એ અસહરૂપ અભિત્તિ -ઇત–ઉક્ત લક્ષણવાળા કુતમાં, મિશિ :-અભિનિવેશ, તેવા પ્રકારે તેના પ્રહરૂ૫. શું ? તો કે-ન ચૂ:-યુક્ત નથી. કોને ? તે કે-કુત્તિરસાલીના-મુક્તિવાદીઓને, સંન્યાસીઓને. ગુજ: પુના-૫ણુ યુક્ત છે, શ્રતે-શ્રુતમાં, આગમ, શીરે-શીલમાં, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાં, સનાથી -અને સમાધિમાં, કાનના ફલસૂત સમાધિમાં, માત્મનામ-મહાત્માઓને, મુક્તિવાદીઓને અભિનિવેશ યુક્ત છે. x “नियोजयत्येव मतिं न युक्तौ युक्तिं मतौ यः प्रसभं नियुक्ते । સાહાર જ્ઞાથોડાફે ઘટાડોપામાધાનઃ ”—શ્રી અધ્યાત્મસાર, “આગ્રહી રત નિનીષત્તિ જિં, તત્ર ત્ર તિરસ્ય નિવિદા THવાતતિ તુ શુત્તિર્યંત્ર તત્ર તિતિ નિવેશે ”—શ્રી હરિભદ્રાચાર્યજી "मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । તામતિ પુષ્કર તુછામન:વિ: ”—શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy