SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭૨) યોગદષ્ટિસમુચ્ચય કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રેગ. જ્યાં આવે એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.”—શ્રી આત્મસિદ્ધિજી. આમ પ્રશમ–ત્યાગ-વૈરાગ્યાદિ આત્મજ્ઞાન હોય તે સફળ છે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉત્તમ હેતુ પણ છે. કારણ કે ત્યાગ-વૈરાગ્ય જેના ચિત્તમાં-અંતરંગમાં નથી, અસ્થિમજાપર્યત હાડોહાડ વ્યાપ્યા નથી, તેને આત્મજ્ઞાન થાય નહિં; અને ત્યાગવિરાગ્યમાં જ જે જીવ અટકી પડે–આત્મજ્ઞાનના ઈષ્ટ લક્ષ્ય ભણી આગળ વધે નહિ, તે તે પિતાનું ભાન ભૂલી જાય, અર્થાત જે આત્મજ્ઞાન પામવાના મૂળ હેતુ અથે ત્યાગવૈરાગ્યાદિ અત્યંત આવશ્યક છે, તે મૂળ હેતુ જ તે ચૂકી જાય છે. વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમ જ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.”–શ્રી આત્મસિદ્ધિ. આ પરમ ઉપકારી પ્રમાદિ ગુણ જ્યાં પ્રગટયા છે, પરમાર્થથી-તત્વાર્થનું સમ્યક શ્રદ્ધાન જ્યાં ઉપર્યું છે, અને જ્યાં પ્રગટ આત્મજ્ઞાન–શુદ્ધ આત્માનુભવ થાય છે, એવું આ પરમ ધન્ય, પરમ વંદ્ય, પરમ દુર્લભ એવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન આ પાંચમી સ્થિર દષ્ટિમાં સ્થિતિ કરતા યેગીને તમોગ્રંથિના વિભેદથી સાંપડે છે. અને આમ જેને દર્શન મેહ નષ્ટ થયું છે, ને સ્પષ્ટ આત્મજ્ઞાન પ્રકાશ સાંપડ્યો છે, એવા આ મહાબુદ્ધિમાન વિવેકી સમ્યગ્દષ્ટિ દષ્ટા યેગીને આ સંસારનું મહાભયંકર દુઃખદ અસ્થિર સ્વરૂપ સંવેદાય છે, સાક્ષાત્ અનુભવાય છે, એટલે જ આ પરમ ધન્ય સમ્યગદષ્ટિ પુરુષને સમસ્ત સંસારચેષ્ટા બાલધૂલિગ્રક્રીડા જેવી ભાસે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે– એનું સ્વને જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે થાય કૃષ્ણને લેશ પ્રસંગ છે, તેને ન ગમે સંસારને સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેવી અમારી રે.” શ્રી મુક્તાનંદજી.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy