SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રયાગ (૨૩) આમ પ્રભુની આજ્ઞાને જ પ્રધાન માની, તેને શિરસાવદ્ય ગણી માથે ચઢાવવી, એ જ યેાગ્ય છે, એમ આ આજ્ઞાપ્રધાની પુરુષ માને છે. અને આ આજ્ઞાપ્રધાન શ્રદ્ધા પણ કાંઈ જેવી તેવી વસ્તુ નથી, તે ‘ સસ'પતૃકરી ’–સ અને સિદ્ધ કરનારી છે. તેમાં સ્વચ્છંદને નાશ થાય છે, પરમ પુરુષનું પ્રખલ અવલંબન પ્રાપ્ત થાય છે, ઇત્યાદિ અનેક લાભ હાય છે. તેમજ તેમાં કાંઈ પરીક્ષાના અભાવ હાય છે એમ નથી, ગૌણપણે તે પણ યથાશક્તિ તેમાં હાય છે. જો કે પરીક્ષાપ્રધાનીની શ્રદ્ધા બળવત્તર હેાય છે, પણ તેવી તથારૂપ પરીક્ષાનુ સામર્થ્ય કાંઈ બધાયનુ હાતું નથી. વિરલા સમ ક્ષયેાપશમવ ંત પુરુષા જ તે કરી શકે છે, અને તેએ પણ આજ્ઞાનું અવલ'ખન છેડી દેતા નથી, ગૌણપણે તે માન્ય રાખી તે પ્રયાગસિદ્ધ કરવા મથે છે એટલું જ. આ ગમે તે પ્રકારે પણ શાસ્ત્રયેાગીને સમ્યક્ તત્ત્વપ્રતીતિવાળી (સંપ્રત્યયાત્મક) શ્રદ્ધા અવશ્ય હાય છે જ. અને આ હેવી પરમ આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી તેવી શ્રદ્ધા ચાંટે નહિં, સાચી આસ્થા ઉપજે નહિ; આત્મામાં ન ભૂંસાય એવી ‘છાપ' પડે નહિ, ત્યાંસુધી અધુંય જાણવુ. કરવું ‘છાર પર લિ`પણા ' જેવુ થઈ પડે છે. “દેવ ગુરુ ધમની શુદ્ધિ કહેા કિમ રહે? કિમ રહે ? શુદ્ધ શ્રદ્ધા ન આણા; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ જે કિરિયા કરી, છાર પર લિપણા તેહ જાણેા. ધાર તલવારની સેહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા.” —શ્રી આનંદઘનજી અને આ શ્રદ્ધા પ્રાપ્ત થવી પરમ દુર્લભ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યુ' છે કે‘શ્રદ્ધા પરમ દુર્લભ છે. મનુષ્યપણું, શ્રુતિ, શ્રદ્ધા અને સયમમાં વી–એ ચાર વાનાં પ્રાણીએને ઉત્તરાત્તર પરમ દુભ છે.’ k સટ્ટા પરમવુદ્દા |” " चत्तारि परमंगाणि दुल्लहा णिह जंतुणा । माणुसतं सुइ सद्धा संयमंमि अ वीरियं ॥ " —શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આમાં શાસ્રયાગી પુરુષને શ્રુતિ અને શ્રદ્ધા તે પ્રાપ્ત થઈ ચૂકયા છે, એ અત્રે ‘તીવ્ર શ્રુતખેાધવાળા ' અને શ્રાદ્ધ' એ એ વિશેષણથી બતાવી દીધું. હવે સયમમાં તેનુ વીય આત્મસામર્થ્ય' કેવુ સ્ફુરે છે, તે બતાવવા માટે કહ્યું કે— યથાશક્તિ અપ્રમાદી—અને એવે શ્રદ્ધાળુ હાવાથી જ આ અપ્રમાદ શાસ્રયાગી અપ્રમાદી હેય છે. અસ્થિમજ્જાપ"ત હાડાહાડ વ્યાપી ગયેલી સાચી વાલેપ શ્રદ્ધા હાય, તેા પછી તે પ્રમાણે અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉમંગથી, અપ્રમાદથી એ તથારૂપ ક્રિયામાં પ્રવર્તે, એમાં શું નવાઈ ? કારણ કે
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy