SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. કર્યો છે, આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે તે “ગીતાર્થ; અર્થાત્ જેણે પરમ નિશ્ચયરૂપ પરમાર્થ આત્મતત્વ ગીત કર્યું છે, અનુભૂત કર્યું છે તે ગીતાર્થ. એવા ગીતાર્થ આત્માનુભવી જ્ઞાની પુરુષ જ ગુરુ થવાને ગ્ય છે. બાકી તથારૂપ ગ્યતા વિનાના અજ્ઞાની ગુરુએ તે કર્મભારથી “ગુરુ” (ભારે) બને છે. અજ્ઞાની નિજ છંદે ચાલે, તસ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તે અનંત સંસારી છે. જિનજી! જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરવરિયે; તિમ તિમ જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય દરિયે રે. જિનજી! સમભાષી ગીતારથ નાણી, આગમમાંહે લહિયે રે, આતમ અરથી શુભમતિ સજજન, કહે તે વિણ કેમ રહિયે રે ?”—શ્રી યશોવિજયજી. આમ સાચા ગીતાર્થ, જ્ઞાની, આત્માનુભવી સદ્ગુરુ પાસેથી જ પારમાર્થિક ભાવગુરુગમ પ્રાપ્ત થાય છે. આ અંગે સુંદર અન્યોકિત છે કે-ગગનમંડલ-ચિદાકાશ તેની મધ્યે એક અમૃતને કુવે છે, એટલે અમૃતસ્વરૂપી શાંતસુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે, તે જ તે અમૃતકૂપમાંથી શાંતસુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે અર્થાત્ ભવતૃષ્ણ શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્ગુરુને યેગ નથી મળ્યું, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃષ્ણ બૂઝાતી નથી અને તે મૃતપણને જ પામે છે, અર્થાત્ જન્મમરણપરંપરા કર્યા કરે છે, તેના જન્મમરણને છેડે આવતું નથી. “ગગન મંડળમેં અધબિચ કૂવા, ઉહા હે અમીકા વાસ; સગુરા હોએ સે ભર ભર પીવે, નગુરા જાવે પ્યાસા... અવધૂ ! સો જોગી ગુરુ મેરા, ઉસ પદકા કરે રે નીવેડા.” શ્રી આનંદઘનજી. “વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરંગુલ હે દમસે મિલ છે, રસદેવ નિરંજનકે પિવહી, ગહ જગ જુગાજુગ સે જિવહી” -શ્રીમદ્ રાજચંદ્રજી. શ્રી ગૌતમસ્વામીજીને ભગવાન મહાવીર દેવે સમ્યગ નેત્ર આપ્યાં ત્યારે વેદના અર્થ પણ સમ્યપણે સમજાયા. દષ્ટિ સમ્યફ હોય તે મિથ્યા શાસ્ત્ર પણ સમ્યફપણે પરિણમે છે અને દૃષ્ટિ મિથ્યા હોય તે સમ્યફશાસ્ત્ર પણ મિથ્યાપણે પરિણમે છે. વદર્શનનું રહસ્ય પણ દષ્ટિ સમ્યકુ હોય તે સમજાય છે. માટે દષ્ટિ સમ્યફ જોઈએ. અને તેની પ્રાપ્તિ તે ઉપર કહ્યું તેમ શ્રી સદ્ગુરુને આધીન છે. તેવા દષ્ટા પુરુષ જ દિવ્ય દષ્ટિ અપી વસ્તુનું યથાવત્ સ્વરૂપદર્શન કરાવવાને સમર્થ હોય છે. પણ આવા વસ્તુગતે વસ્તુ કહેનારા આપ્ત અનુભવજ્ઞાનીઓ તે વિરલ જ છે, જગત્ માં તેમને તે દુકાળ જ છે. આનંદઘનજીએ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy