SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રતિછ દે પ્રતિઈદે જિનરાજના હજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગભાવ.” શ્રી દેવચંદ્રજી અને “સંશુદ્ધ ભક્તિને જ ગબીજ કહ્યું છે, –નહિં કે અસંશુદ્ધ ભક્તિને. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે-કે અત્રે અમે જે કહેવા માગીએ છીએ તે તે અલૌકિક રીતે આ અલૌકિક પ્રભુને સેવવાની વાત કહેવા માગીએ છીએ, આ લેકોત્તર પ્રભુની સેવાને અંતર્ગત ભેદ-રહસ્ય-મર્મ જાણીને સમજીને આધ્યાત્મિક ગુણપ્રકાશરૂપ સેવાની વાત કહેવા માગીએ છીએ. આ લેટેત્તર દેવને ઘણા જ તેમનું સ્વરૂપ સમજ્યા વિના લૌકિક રીતથી સેવે છે, આ લેક-પરલેક સંબંધી લૌકિક ફલની આકાંક્ષાથી–આશાથી સેવે છે. અથવા ક્રોધ-માન-માયા-લોભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૌકિક દેવની લૌકિક ફલકામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી, અને તે ગબીજ નથી. શુદ્ધ સેવા તો (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, (૨) આહારાદિ દશ સંજ્ઞાનો નિરોધ સહિતપણે. (૩) આ લેક-પરલેક-સંબંધી કામના રહિતપણે કરવામાં આવે તે જ થાય. એવી જે સંશુદ્ધ સેવા છે, તે જ અત્રે યોગબીજરૂપ થઈ પડે છે. એટલે (૧) સૌથી પ્રથમ તે આ વીતરાગ પરમાત્મા આખા જગતમાં બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, આરાધના-ઉપાસવા ગ્ય છે એવી પરમ ઉપાદેયબુદ્ધિ અંતરમાં પ્રગટવી જોઈએ; આખા જગત્ કરતાં પણ જેનું ગુણગૌરવ અનંતગુણ અધિક છે એવા તે પરમ જગદ્ગુરુ પરમેષ્ઠિ પરમ ઈષ્ટ લાગવા જોઈએ. ‘સંભવદેવ તે ધુર સે સવે રે.” અર્થાત્ જગના અન્ય કોઈ પણ પદાર્થ કરતાં અનંત અનંતગણ મહિમાવાન એવા આ પરમ ઉપકારી કરુણસિંધુ “અહંતુ” પ્રભુને પરમ પૂજાને પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, અને પરમ સેવ્ય ગણી, તેની પૂજામાં, તેની આરાધનામાં તેની સેવામાં બીજા બધા કાર્ય કરતાં સૌથી પ્રથમ તત્પર થઈ જવું જોઈએ. (૨) બીજુ-આહાર, ક્રોધાદિ દશ સંજ્ઞાનું વિષ્કન-નિરોધ, ઉદય અભાવ હો એ સંશુદ્ધ ભક્તિનું બીજું લક્ષણ છે. જ્યાં ખાવા પીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામો થઈ પડે, મમતા મરી જાય, ક્રોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે નહિં, લેભને લેભ થાય નહિ, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હોય, અને લેકની વાહવાહની બીલકુલ પરવા ન હોય, એવી સંશુદ્ધ ભક્તિ જ મુમુક્ષુ જોગીજન કરે. શ્રી યશોવિજયજીએ કહ્યું છે તેમ “શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભકતે ચોકખું ચિત્ત હો.” (૩) ત્રીજું -આ લેક પરલેકસંબંધી ફલકામના રહિતપણું-નિષ્કામપણું હોવું જોઈએ. આ લેકસંબંધી ધન-કીર્તિ-પૂજાસત્કાર આદિ ફલકામનાથી જે કરવામાં આવે, તે સતચિત્તને મારી નાંખતું હોવાથી અને મહત એવાં સત અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હોવાથી, આત્માને વિષરૂપે પરિણમી વિષઅનુષ્ઠાન થઈ પડે છે; અને પરલોકસંબંધી ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (Slow poison) પરિણમી ગરઅનુષ્ઠાન થઈ પડે છે. માટે આ બને
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy