SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૧) દીમાદષ્ટિ: સૂમ બેધનું લક્ષણ, તન્ય નિર્ણયની ન્યાયપદ્ધતિ અહીં પ્રતિષેધ કરેલા સૂમ બેધનું લક્ષણ બતાવવા માટે કહે છે – सम्यग्हे त्वादिभेदेन लोके यस्तत्त्वनिर्णयः । वेद्यसंवेद्यपदतः सूक्ष्मबोधः स उच्यते ॥६५॥ સમ્યગ હેતુ આદિથી જે તત્વનિર્ણજ્ય જનમાંય; વિદ્યસંવેદ્ય પદથી-તે, સૂક્ષ્મ બેધ કહેવાય. ૬૫. અર્થ –સમ્યફ હેતુ વગેરે ભેદે કરીને, લેકમાં જે વેધસવેદ્ય પદ થકી તસ્વનિર્ણય થાય છે, તે સૂક્ષ્મ બોધ કહેવાય છે. વિવેચન “સૂમબોધ તે પણ ઈહાંજી, સમકિત વિણ ન હોય; વેદ્યસંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેલ્વે જેય...મનમેહન.”–શ્રી . દ. સઝાય ૫ ઉપરમાં સૂફમબોધ હજુ આ દષ્ટિમાં ન હોય એમ કહ્યું હતું, તેને ખુલાસો કરવા માટે “સૂક્ષ્મબોધ” એટલે શું? તેનું અત્ર કથન છે. હેતુ સ્વરૂપ અને ફલથી કરીને વિદ્વત સમાજરૂપ લેકમાં, પંડિત જનના સમુદાયમાં, વેદ્યસંવેદ્યપદથકી જે સભ્યપ્રકારે તત્ત્વનિર્ણય કરવામાં આવે, એટલે કે પરમાર્થને પરિચ્છેદ કરાય, પરમાર્થનું પરિજ્ઞાન થાય, તેને સૂક્ષમ બોધ” કહ્યો છે. તત્વનિર્ણયની ન્યાયપદ્ધતિ કેઈપણુ તત્વને નિર્ણય કરવો હોય, તે તે કામ સાચા પંડિત જનનું-ખરેખર વિદ્વાનું છે, કારણ કે તેઓ જ હેતુથી, વરૂપથી અને ફળથી તત્વની સમ્યક પરીક્ષા કરી, કષ-છેદ-તાપ આદિ પ્રકારથી સમ્યક કસોટી કરી, તત્વને-પરમાર્થને નિર્ણય કરવાને સમર્થ હોય છે. તેઓ સર્વ આગ્રહથી પર હેઈ, તત્ત્વની મધ્યસ્થપણે ન્યાય પદ્ધતિથી ચકાસણી કરે છે. જેમ કુશલ ન્યાયાધીશ-ન્યાયમૂર્તિ ન્યાયતુલા બરાબર જાળવીને પક્ષપાતરહિતપણે ન્યાય તોલે છે, તેમ આ ન્યાયપ્રિય વિદ્વજને પણ નિષ્પક્ષપાતપણે તત્વની તુલના કરે છે, કારણ કે તેઓ ન્યાયપદ્ધતિમાં નિષ્ણાત હોય છે. તે આ પ્રકારે – વૃત્તિસાજૂ-સભ્યપણે, અવિપરીત વિધિથી, રિ -હેતુ આદિ ભેદથી; હેતુ, સ્વરૂપ ને કલના ભેદથી, ઢોલકમાં, એટલે કે વિદ્યુત સમાજમાં ચતરસનિર્ણય-જે તત્વનિર્ણમા, પરમાર્થ પરિચછેદ. કયા કારણથી ? તે કે- ઘવત:-વેદ્યસંવેદ્યપદ થકી, જેનું લક્ષણ કહેવામાં આવે છે એવા દાવેદ્ય પદથકી, સૂક્ષ્મપોષઃ સ ૩૨ તે-તે સક્ષ્મધ, નિપુણ બેધ કહેવાય છે, એમ અર્થ છે.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy