SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ સંજમ. (કાવ્ય), ઇચ્છે છે જે જોગી જન (કાવ્ય), મૂળ મારગ સાંભળો જિનનો રે. તેમના વચનામૃતમાં 'યોગ' વિશે તેઓ લખે છે - યમની માંડીને સમાધિ પર્યત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે. એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. યોગદૃષ્ટિસમુચ્ચય'માં આત્મસ્વભાવપરિણામરૂપ યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવાયોગ્ય છે.' પૃ.૬૧૪ ‘વચનામૃત’ ૮૦૬ “શુદ્ધ યોગમાં રહેલા આત્મા અણારંભી છે. અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો.” પૃ.૨૧૯ ‘વચનામૃત ૧૨૨. તેમણે લખેલ “આત્મસિદ્ધિશાસ્ત્ર આત્માનો નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રકટાવવાના ઉત્તમ હેતુથી લખાયેલ છે. આત્માર્થી માટે મોક્ષમાર્ગ તેમણે બતાવ્યો છે. એમાં ૪૩મી ગાથામાં છ સ્થાનક અથવા છ પદ સંક્ષેપમાં કહ્યાં છે. આ ગાથાની અંદર યોગને ગૂંથી લીધો છે. આત્માના અશુદ્ધ દશામાંથી શુદ્ધ દશામાં જવા આ છ પદ બતાવ્યાં છે. આત્મા છે', ‘તે નિત્ય છે”, “છે કર્તા નિજકર્મ', છે ભોક્તા’, ‘વળી મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ” II 43 આત્મસિદ્ધિ આ ગાથામાં આત્મા છે અને આત્મા નિત્ય છે એમ કહી જૈન દર્શનના મહત્ત્વના સિદ્ધાંતનું સ્થાપન કર્યું છે. આત્મા કર્મનો કર્તા છે અને કર્મનો ભોક્તા છે. એ આત્માની મોહવશ અજ્ઞાન દશાનું નિરૂપણ છે જેને કારણે યોગની આવશ્યકતા ઊભી થાય છે. આત્મા એની નિત્ય દશામાંથી અનિત્ય દશા તરફ જાય છે. એટલે કે અશુદ્ધ દશા તરફ જાય છે. માટે એનું ઉત્થાપન કરવાનું છે. આત્માનો મોક્ષ છે એટલે આત્મા એના શુદ્ધસ્વરૂપ, પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. એ જ લક્ષ્ય છે, સાધ્ય છે. શ્રીમદ્ એમના પત્રમાં લખે છે – “મોક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી ૨૪૮ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy