SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રહે એ જોડાણ નિયોગ કહેવાય. અહિંસા - તપ વગેરે બાહ્ય ધર્મમાં થયેલું આ અત્યંત જોડાણ (નિયોગ) જો ભાવધર્મનું કારણ બને, સામા જીવને એવો વિશિષ્ટ લયોપશમ કરાવી આપે તો એ જોડાણ વિનિયોગ કહેવાય. આવી રીતે જે પ્રથમ ગાથાના ભાવાર્થમાં કહ્યું તે પ્રમાણે પ્રણિધાનાદિ આશયોથી મુક્ત ધર્મવ્યાપાર એ યોગ છે અર્થાત્ જીવને મોક્ષ સુધી પહોંચાડનારો બને છે. અહીં ધર્મ એ રાગાદિ મળ દૂર થવાથી પુષ્ટિવાળું અને શુદ્ધિવાળું બનેલું ચિત્ત છે. પુષ્ટિ : પુણ્યસંગ્રહ, શુદ્ધિ - પાપક્ષયથી નિર્મલતા. રાગ, દ્વેષ, મોહ વગેરે અંત:કરણને મલિન કરનારા મળે છે. ચિત્ત અનાદિકાળથી આવા રાગાદિમળથી મલિન છે જ્યારે આ રાગાદિમળ ઘટે છે ત્યારે ચિત્ત પુષ્ટિવાળુ અને શુદ્ધિવાળું બને છે. આવું પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે. અર્થાત્ રાગ, દ્વેષ, ક્રોધ, લોભ આદિનો વિનાશ કરી શુભ પુણ્યોદયની પુષ્ટિ અને જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મનો ક્ષયોપશમ કરવાથી થતી નિર્મળતા આની સાથે પ્રણિધાનાદિ પાંચ શુભાશય હોવાથી સર્વ ધર્મવ્યાપાર અતિશય શુદ્ધ થાય છે અને આવા પ્રણિધાનાદિ આશયોથી યુક્ત ધર્મવ્યાપાર એ ‘યોગ” છે. આવી રીતે નિશ્ચયથી પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર એ યોગ છે તો પણ વિશેષ રૂપે સ્થાનાદિમાં સંકળાયેલો ધર્મવ્યાપાર તે યોગ છે. આ વાત સમજાવતાં ગ્રંથકાર કહે છે – ठाणुन्नत्थालंबणरहिओ तन्तम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो तहा तियं नाणजोगो उ ।।२।। યોગવિંશિકા અર્થ : સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબન અને આલંબનરહિત એમ પાંચ પ્રકારના યોગ શાસ્ત્રમાં કહેલા છે. એમાં સ્થાન અને કર્ણ એ પ્રથમ બે કર્મયોગ છે, જ્યારે બાકીના ત્રણ જ્ઞાનયોગ છે. (૧) સ્થાન : જેનાથી સ્થિર રહેવાય તે સ્થાન. આસન, કાયોત્સર્ગ, પર્યકાસન, પદ્માસન વગેરે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ વિશેષ પ્રકારનાં આસન એ સ્થાનયોગ (આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન ૮૩
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy