SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં ને ! હીરાબાની લાગણી દાદાશ્રી રાત-દહાડો રાખવાના, કારણ કે એમના એક પગ-હાથથી કામ થતું નથી. લાગણી રાખવાની છતાં અંદર વળગાડવાનું નહીં. દાદાશ્રી ઘેર જાય ત્યારે વિધિ કરાવડાવે. જ્યાં હોય ત્યાંથી આશીર્વાદ મોકલ્યા કરે. એમના આત્માને કહે કે એમની કાળજી લેજો. દાદાશ્રીની આંગળીમાં વાગ્યું હતું. તેના લીધે દરેક કામમાં અડચણ પડતી હતી, મોં ધોવામાં, કપડાં પહેરવામાં. તે હીરાબાને તો એક આંખ નહીં ને એક પગે તકલીફ થઈ ગઈ હતી, તે કેવી અડચણ પડતી હશે ! પોતાની આંગળીની તકલીફનો અનુભવ થયો તેના આધારે હીરાબાની તકલીફ કેટલી બધી હશે તે સમજાયું. હીરાબાનું શરીર આવું થઈ ગયું તે દાદાશ્રીનું મન એક ફેરો બોલ્યું કે આ દુઃખ પડે છે એમને, એના કરતા એમનો આ દેહ છૂટે તો સારું. તે પછી તો બહુ વિધિઓ કરી, પ્રાર્થના કરી કે સો વર્ષના થાવ. હું દવા-ચાકરી બધું કરીશ પણ જીવો. હીરાબાને એક હાથ ને એક પગ નબળો પડી ગયો હતો, તે પલંગમાં બેસી રહેવું પડે. બે મહાત્માઓ એમની સેવામાં રહેતા. દાદાશ્રીએ હીરાબાને આનંદ થાય એવો રસ્તો ખોળી કાઢ્યો. પાંચ-દસ કિલો ફ્રૂટ લાવીને બધા છોકરાંઓને હીરાબા દ્વારા એક-એક ફ્રૂટ અપાવતા. તે રોજ સાંજે આ પ્રયોગ કરે, તે દોઢ કલાક ચાલે. તે હીરાબાને ખૂબ આનંદ રહે. ચિત્ત કાંઈ લેવામાં ના રહે, ચિત્ત આપવામાં રહે. કંઈ પણ આપતી વખતે હંમેશાં આનંદ થાય. છેલ્લે વડોદરામાં હોય ત્યારે મામાની પોળે જાય દાદાશ્રી ને હીરાબાને માથે પગ મૂકે, દસ મિનિટ એમની વિધિ કરાવડાવે. હીરાબા ‘હું શુદ્ધાત્મા છું...’ બોલે. દાદાશ્રીએ કેવા સાચવ્યા હશે કે એ પગે લાગી વિધિ કરતા હશે ! [૨૨] હીરાબાતા દેહવિલય વખતે દાદાની સ્થિતિ હીરાબા કહેતા કે હું હવે જઉ તો સારું, સૌભાગ્યવંતી થઈને જઉ. અને એવું જ થયું. એમની ઈચ્છા પૂરી થઈ. હીરાબા કહેતા કે હું દેહ છોડીશ ત્યારે દાદા હાજર હશે. તે એવું જ બન્યું. એવી પોતાની જાતની ખાતરી હોય તો એ કામ કર્યા વગર રહે જ નહીં ને ! હીરાબાના અંતિમ 47
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy