SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ બાપને દુઃખ આપે છે એવી દાદાશ્રીની વાત સમજાયેલી ને અનુભવમાં આવેલી. આમ દાદાશ્રીએ ઝીણી ઝીણી વાતો સમ્યક્ષણે ફીટ થાય એવી રીતો અજમાવેલી. અમારે એમને પણ મોક્ષે લઈ જવા છે. તે સાચી સમજણ દરેક વ્યવહારમાં ફીટ કરાવી. ધર્મમાં આફત આવે એવું હતું તો જરા મોટું ત્રાગું કરીને હીરાબાને ધર્મ સંબંધી ક્યારેય ડખલ ના કરે તેવા કરી નાખ્યા. આમ હીરાબા સરળ હતા, જેમ વાળો તેમ વળે. તે દાદાશ્રીએ પ્રેમથી સવળી સમજણ ફીટ એવી કરાવી કે એમને સંસારમાર્ગેથી વાળી મોક્ષમાર્ગે ચઢાવી દીધા. દાદાશ્રી એવી વાત કરે, એવું બોલે તે હીરાબા પાસે પેલી સવળી સહી કરાવી નાખે. આમ બોધકળા-જ્ઞાનકળાથી વાતવાતમાં દાદાશ્રી બાની કેટલીય સંસારી બાબતો છોડાવી નાખતા. જેનાથી એમનું આખું હૃદય પરિવર્તન કરાવી નાખેલું. હીરાબાને પૂછ્યું ‘તમારામાં કપટ ખરું' ત્યારે સરળતાથી બાએ કહી દીધેલું. ‘એ તો હોય, તમને ખબર ના પડે. અમે કપટ કરીએ.’ પોતાને કપટ છે, પોતે ઢાંકે છે એવી ઝીણી સમજણ બાને હતી, નહીં તો પોતાના દોષ ખબર પડવા મુશ્કેલ હોય. ‘મેં ગોરી (માટલી) ફોડી નાખી હતી તે છુપાવેલું’, પાછળથી કહી દીધુંયે ખરું. સંસારી અપેક્ષાઓ દાદાશ્રી પ્રત્યે બાને કેટલી બધી ક્ષીણ કરાવી નાખી હતી. હીરાબામાં સરળતા, ભદ્રિકતા, સંતોષ, નિર્વેર બુદ્ધિ થઈ ગઈ હતી. સંસારી મોહ તેમજ કેટલાય સ્ત્રી પ્રકૃતિના દોષો હીરાબાના ખલાસ થયેલ દેખાય છે. હીરાબાએ દિવાળીબાને પોતાના તરફથી કંઈ પીડા નથી થવા દીધી, હીરાબા પોતે એવા મોટા મનના ઠેઠ સુધી રહ્યા હતા. દાદાશ્રીએ હીરાબાના મનને ખૂબ સાચવ્યું હતું. એમને આધીન રહીને એમનું પણ સમાધિમરણ થાય એવું કલ્યાણ કરી નાખ્યું. જ્ઞાની પુરુષ ભાગ-૨માં (આ ગ્રંથમાં) હીરાબા અને દાદાશ્રી વચ્ચેનો પતિ-પત્નીનો આદર્શ વ્યવહાર દૃષ્ટિગોચર થાય છે. અમે જ્ઞાની છીએ, પટેલ વ્યવહાર કરે છે, મારે લેવાદેવા શી ? એવું એકાંતે નિશ્ચય તરફ 45
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy