SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ ૩૮૫ આ તો લૌક્કિ કહેવાય એવું છે ને, રડનારા માણસ આગલે દહાડે કેમ રડતા નથી ? એ હું એમને પૂછું છું. શું એ જાણતો નથી કે જવાના છે ? એવું આગલે દહાડે કેમ રડતા નથી ? હું એમને પૂછું કે પછી શું કરવા રડો ને પહેલા કેમ રડતા નથી ? પ્રશ્નકર્તા: તમે કહો ને, આગલે દિવસે કેમ નથી રડતા? દાદાશ્રી : પાછળથી આ બધું કરે, મનમાં બધું જાણે છે કે આ જવાના છે, તો રડવું કેમ નથી આવતું ? ત્યારે મનમાં એમ કહે કે ભઈ, એમને સાયકોલોજી ઈફેક્ટ થાય એટલા હારુ નથી રડતા.” તો એમની ગેરહાજરીમાં રડો. એ ન હોય ને પછી રડો. આ તો રડવું એક-એકનું જુએ છે ને, એનું આવે છે. ને બીજા કોને રડવું આવે છે ? જેને ખોટ ગઈ તેને. બાકી ગોરાણીઓ મને કહેતી'તી. મેં કહ્યું, “આ બધા રડે છે ને બિચારા દુઃખી થાય છે ને ?' ત્યારે કહે, “સહુસહુના ઘરનું રડે, સંભારીને.” ત્યારે મેં કહ્યું, “આ છાતીઓ ફૂટી નાખે છે ને !” ત્યારે કહે, ‘ભાઈ, તમે જાણતા નથી, એ તો છાતી કૂટવાની એક્શન કરે એટલે તમે જાણો કે આ છાતી કૂટવા માંડી. પણ એ છાતીને અડે નહીં. તે આ લૌકિક કહેવાય. લૌકિક એટલે શું ? જેવું તને જણાય છે એવું એક્ઝક્ટ નહીં પણ એના જેવું. હવે આ બધી ગૂંચો શી રીતે સમજણ પડે માણસને ? હું તો બધી અવસ્થામાંથી બહાર નીકળેલો છું. એટલે પેલી ગૂંચો જોઈ ને આવે જોયું. અને આ ઠેઠ સુધીનું પારદર્શકેય હું જોઈ શકું છું. પ્રશ્નકર્તા: આપે પ્રશ્ન કર્યો ને કે આગલે દહાડે કેમ નથી રડતા, એ મને સમજાવો. દાદાશ્રી : એવું છે ને, માણસ મરી ગયા પછી સ્વાર્થનું રડે છે. અને કોઈ કહે, હું પ્રેમથી રડું છું, તો એનો પ્રેમનો સ્વાર્થ છે. પ્રેમ
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy