SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ જ્ઞાની પુરુષ (ભાગ-૨) નીરુમા અને કહે, ‘તમે ?' તો કહે, “મારે તો બહુ નથી રહેવું.” તો તમે કહ્યું, “ના, આઠ વર્ષ તો રહેજો.” દાદાશ્રી : “રહેજો.” તે ઉતાવળ શી છે ? ત્યાં આગળ કંઈ કેન્ટીનો કોઈએ રાખી મૂકી છે ? ત્યાં નાસ્તાની કેન્ટીનો હતી એ જતી રહી બધી. ત્યાં જઈએ તોય કેન્ટીનો નથી બધી સરસ. પ્રશ્નકર્તા : પણ તે આઠ ક્યાંથી કાઢયા ? દાદાશ્રી : છે તે નીકળ્યા એની મેળે. કારણ કે એક-બે ફેરો પડી ગયા ને, તે બધું આ કચ્ચર થયેલું, બધું ભાંગી ગયેલું. પડી જાય એટલે એ થાય ને ! આ એની મહીં એય શું કરે ? તોંતેર વર્ષ થયા, એય શું કરે ? પ્રશ્નકર્તા : કોઈ પણ શું કરી શકે ? અને છેવટે એવું જ થયું દાદાશ્રી : એ મને રોજ કહેતા'તા કે મારે પહેલું જવાય એવું કરો. હું અખંડ સૌભાગ્યવતી થઈને જઉં. પ્રશ્નકર્તા ઃ તે એવું જ થયું. દાદાશ્રી : એટલે પછી આપણાથી બોલાય જ નહીં ને ! પ્રશ્નકર્તા : એમની ઈચ્છા પૂરી થઈ. દાદાશ્રી : બધી ઈચ્છા પૂરી, બીજી કશી ઈચ્છાઓ રહી નહોતી. ખાતરી સાચી પડી, દાદાની હાજરીમાં દેહ છોડ્યો એમણે પોતે જ કહેલું કે ‘તમારી હાજરીમાં હું જઉ એટલું કરો.” પ્રશ્નકર્તા : મને ત્યાં કીધેલું, હું ત્યાં આવતો ને, ત્યારે. દાદાશ્રી : હા, એમણે લોકોને એવું કહેલું કોઈની પાસે જે અજાયબ ચીજ નથી એ દાદા પાસે છે.” પણ લોકોનું પુણ્ય પાકતું નથી. પુણ્ય પાકવું જોઈએ ને ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy