SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) કોણે મોકલ્યું છૈડપણ ? થૈડપણ આવ્યું ને બા. તમે કાગળ લખીને બોલાવ્યું, નહીં તો ન’તું આવવાનું. હીરાબા : મેં બોલાવ્યું નથી. દાદાશ્રી : તો શી રીતે ખબર પડી આને ? આપણે ઘેર તો કોઈએ કાગળ લખ્યો નથી. હીરાબા : નહોતું જોઈતું ધૈડપણ. દાદાશ્રી : મને હઉ મોકલ્યું ને ! તમે કહો છો, ‘મારા પછી તમે જજો.’ એમ કરીને મને હઉ મોકલાવડાવ્યું. નહીં તો મારે જતું જ રહેવું હતું ને ? પણ એમણે શરત કરી, શું શરત કરી'તી ? હીરાબા : પહેલું મારે જવાનું. દાદાશ્રી : એટલે જ મારે ધૈડપણ આવ્યું ને ! તમારું શરીર તો સારું છે. હીરાબા હાથ સારો નથી ને ! દાદાશ્રી : ના, પણ તમે જવાનું કહો છો ને મારે જવાનું... હીરાબા : વીસ વરસ કાઢવાના છે. દાદાશ્રી : ઓહોહો... ત્યાં ઉપર બધા ગયા તેને શાનો નાસ્તો મળતો હશે ? હીરાબા : શાનો નાસ્તો ? : દાદાશ્રી : ત્યાં આગળ બેસી રહે, તે એમ ને એમ ભૂખ્યા બેસી રહેવાતું હશે ? નાસ્તો તો આપે જ ને ? હીરાબા : ત્યાં નાસ્તો શાનો ? દાદાશ્રી : તો ત્યાં ભૂખ્યા બેસી રહે ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy