SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જ્ઞાની પુરુષ (ભાગ-૨) પ્રશ્નકર્તા : ના, ના, એમ તો હવે કહેવાય જ નહીં. દાદાશ્રી : ના, ના, શાદી કર્યા પછી ? આ આવું કરવા હારુ શાદી કરી'તી ? વ્યવહારમાં મીઠી વાણી તો બોલ મૂઆ ! એની ક્યાં ખોટ છે તે ! અને હૃદયથી પાછું, ઉપલકેય નહીં. હૃદયથી બોલો, પણ ડ્રામેટિક, છે જ ડ્રામેટિક. સામાને સંતોષ થાય એવો આદર્શ વ્યવહાર અમેય છે તે કહીએ ને હીરાબાને, બોતેર-તોતેર વર્ષના તોય અમે કહીએ. અત્યારેય આટલી ઉંમરે મને કહે છે, “તમે બહુ દહાડા જાઓ છો ને, તો તમે સાંભર સાંભર થાવ છો.” મેં કહ્યું, “મનેય બહારગામ હોઉ તો તમારા વગર ગમતું નથી પણ શું કરું ?” એટલે ખુશ થઈ જાય, બસ. આ નીરુબેન ને બધા બેઠા હોય ને કહ્યું, “મને તમારા વગર ગમતું નથી.’ આ વ્યવહાર કહેવાય. આમાં આપણી દાનત ચોર નથી. પણ વ્યવહાર સુંદર, આદર્શ દેખાડો. એટલે સામાને સંતોષ થાય. સિન્સિયર, આમ સિન્સિયર હોય. અમે સિન્સિયર છીએ ને વ્યવહાર સારો દેખાય છે. કેટલાક માણસ સિન્સિયર હોય, છતાંય એવું કહે કે “સંભારીને શું ફાયદો છે ?” આ અક્કલનો કોથળો આવ્યો ! બિચારાને સાંભર સાંભર કરે છે ! વ્યવહારથી રૂપાળું દેખાય એ તો કેવું સુંદર ! આ બધા હસે, એમની રૂબરૂમાં, બધાની રૂબરૂમાં બોલું ને, મેં કહ્યું, “મનેય તમારા વગર ગમતું નથી.” એમને કેટલું પાણી ચઢે કે ઓહોહોહો ! અને બધા બેઠા હોય ને બોલું. કારણ કે બધાને શિખવાડવા હારુ બોલું છું કે પાંસરું બોલતા શીખો, વાંધો ખરો ચંદુભાઈ ? હું ? સાચા દિલથી કહો તો માતે પ્રશ્નકર્તા : પણ દાદા, એક ખૂબી છે કે તમે કહો ને આવું કે મને તમારા વગર ગમતું નથી, તો સામાને સારું લાગે અને અમારા જેવાની તો પોલ બહાર પડી જાય કે આ અમથું અમથું ઠોક્યા રાખે છે. “હવે અમથા અમથા મને ના કહેશો’ એમ કહે અને તમે કહો તો બાને સારું લાગે છે. એ શું હશે દાદા, તમારા કહેવાની પાછળ ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy