SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬.૨] દાદા કહેતા હીરાબાને – ‘તમારા વગર ગમતું નથી ૨૯૧ લાગણી ત્યાં સુધી જ કહેવાય છે કે સામાને હેલ્પ કરે. નહીં તો ચિંતા કહેવાય. એટલે જગતને પેલું એનું કંટ્રોલ કરતા આવડતું નથી એટલે પછી ચિંતા થઈ જાય, અમારે લાગણી સુધી રહે. પ્રશ્નકર્તા: એટલે આપની લાગણી અને જગતની લાગણી, એમાં ક્યાં ફેર પડે ? દાદાશ્રી : એ બચે તો બહુ સારું, આમ થઈ જાય તો આમ સારું, આમ થાય તો આમ સારું. એ બધી એમ પરિણામ સાથે લાગણી હોય એની. અમને પરિણામ સાથે ના હોય લાગણી. અમુક માણસો એવા હોય ખરા. નૉર્મલ લાગણીવાળા હોય છે. નહીં તો પછી ચિંતા કર્યા કરે. લાગણી હોય તે ચિંતા થઈ જાય. તે એનુંય બગાડે ને પેલાનુંય બગાડે. હેલ્પ કશું થાય નહીં. એટલે લાગણીવાળા તો અમેય, કોઈ દહાડોય રડીએ નહીં, પણ છતાંય લાગણી કાયમની બધાની. કારણ કે જેટલા વધુ મળે એટલા તો રોજ અમારા જ્ઞાનમાં આવતા જ હોય બધા. પ્રશ્નકર્તા: મા-બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી બતાવે છે, તો ઘણી વખત લાગે છે કે ખૂબ બતાવતા હોય છે. દાદાશ્રી : એ ઈમોશનલ જ છે બધું. ઓછી બતાવનારેય ઈમોશનલ કહેવાય, નૉર્મલ જોઈએ. નૉર્મલ એટલે બનાવટ ખાલી, ડ્રામેટિક ! ડ્રામાની સ્ત્રી જોડે ડ્રામા કરવાનો તે અસલ, એક્ઝક્ટ. લોકો એમ સમજે કે સહેજ ભૂલ નથી કરી. પણ બહાર નીકળતી વખતે એને કહીએ, હેંડ મારી જોડે', તો ના આવે એ. “આ તો ડ્રામા પૂરતું જ હતું. કહે. એ સમજાયું ને ? પ્રશ્નકર્તા : હા, સમજાય છે. અમારી હીરબા માટે કાયમની લાગણી દાદાશ્રી : એટલે મન મસ્ટ નૉટ બી ઈમોશનલ (માણસ ભાવુક ન જ હોવો જોઈએ). જેમ ટ્રેનો ઈમોશનલ થાય તો શું થાય ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy