SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬.૨] દાદા કહેતા હીરાબાતે - “તમારા વગર ગમતું નથી' કરે ડ્રામા છતાંય સામાને લાગે મીઠું પ્રશ્નકર્તા : દાદા, તમને હીરાબા માટે કંઈ લાગણી-બાગણી થાય કે ના થાય ? દાદાશ્રી : થાય ને ! કહીએ ને, કે “તમારા વગર ગમતું નથી.” એવું કહીએ જ છીએ ને ? પ્રશ્નકર્તા: એ તો ખબર પડે દાદા, કે તમે આ ડ્રામેટિક બોલો છો એમ. દાદાશ્રી : કોને ખબર પડે ? પ્રશ્નકર્તા: અમને બધાને. દાદાશ્રી : ના, એ તમને ખબર પડે, એમને ના પડે. પ્રશ્નકર્તા: એમને તો બહુ સારું લાગે. દાદાશ્રી: હા, દરેકને મીઠું લાગે. તમે તો એ જાણી ગયેલા એટલે. અને અમેય ડ્રામેટિકલી નથી બોલતા, ખરેખર જ, લાગણીથી બોલીએ છીએ. લાગણી બધાની પણ અંદર અડે નહીં પ્રશ્નકર્તા : તમે એમને કહો છો, કે “અમને તમારા વગર ગમતું નથી', તો તમને કંઈ ખરેખર નથી ગમતું ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy