SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ પાસે અનંત બોધકળાઓ હોય. તે જો સાંભળે તો સાંભળતા જ કામ કાઢી નાખે. અને જો સંયમ ના પાળ્યો તો વઢવાડ થાય. શાંતિથી જમવાનુંય ના મળે ને પોતે ગાંડો દેખાય. વાઈફ જોડે કચકચ થાય તે વાઈફ વેર બાંધે કે તમે પકડાઓ ત્યારે વાત છે, હું પણ જોઈ લઈશ. આપણે છોકરાની સાત ખોડ કાઢીએ તો છોકરો પણ આપણી એકાદ ખોડ કાઢશે. તમે એની ખોડ નહીં કાઢો તો એ તમારી ખોડ નહીં કાઢે. વ્યવહારમાં કેવું છે કે જો તમારી ખોડ કાઢે એ તમને ના ગમતું હોય તો તમે બીજાની ખોડ ના કાઢશો. એ મહીં જ સમાવી દેજો. જ્ઞાની પુરુષની પાસે બોધકળા સાંભળી હોય તો જ્યારે એવો સંજોગ આવે ત્યારે સાંભળેલી બોધકળા હાજર થઈ ઉપયોગી થઈ પડે. શું અવલંબન લેવાનું? પ્રાપ્તને ભોગવો. પ્રાપ્ત જે આવ્યું, જેટલું ઠીક લાગે તેટલું ખાઈ લેવું. કષાય ઉત્પન્ન ના થાય એમ રહેવું. ના ભાવતું આવ્યું થાળીમાં તો ત્યાં સમભાવે નિકાલ કરજો ! કોઈને છંછેડશો નહીં. ના ભાવતું આવ્યું થાળીમાં, તો દાદાશ્રી કેટલા બધા એડજસ્ટમેન્ટ લઈને સમભાવે નિકાલ કરતા ! ના ભાવતું થાળીમાં આવ્યું એ સંજોગ છે, એને ધક્કો મારીશ તો તને એ ધક્કો વાગશે. ના ભાવતામાંથી થોડું ખાઈને ઉકેલ લાવજો. નહીં તો ના ખાઈએ ને, તો જે બનાવીને લઈ આવ્યો છે એની જોડે ભાંજગડ પડે અને બીજું ખાવાની ચીજનું અપમાન થાય. તે પછી ભવિષ્યમાં ભેગી ના થાય. ખાવામાં ના ભાવતી ચીજની ભૂલ કાઢો તો સુખ વધે કે ઘટે ? સુખ ઘટે એ વેપાર ના જ કરાય ને ! દાદાશ્રી કહે છે, અમને ના ભાવતું હોય તોયે “બહુ સરસ છે” કહીને ખઈ લઈએ. “ભાવે છે” કહીએ તો ગળે ઉતરે. ઘરમાંયે કોઈ જાણે નહીં કે દાદાને આ નથી ભાવતું કે ભાવે છે ! દાદાશ્રીએ પોતાના જીવનના પ્રસંગોનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું 31
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy