SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] દાદાની દષ્ટિએ હીરાબાના ગુણ ૨૬૫ પ્રશ્નકર્તા : આ તો પ્રગટ પરમાત્માની લીલા જોવાની મળી અમને તો. અમારા તો અહોભાગ્ય કે એ સારા હતા તો તમે ભગવાન થયા. નહીં તો એ કકળાટવાળા હોત તો શી રીતે ભગવાન થાત ? શેના ભગવાન થાત તમે ? દાદાશ્રી : હા, તો ન થવા દે. એ કકળાટ કરનારા હોય ને, તો ઊંઘ જ ના આવવા દે ને પછી. પ્રશ્નકર્તા : ભગવાન ના થવા દે. દાદાશ્રી : ના થવા દે. હીરાબા કેવા પુણ્યશાળી છે ! નિર્દોષ માણસ ને મોટા માતા હીરાબા માણસ સારાને ! પ્રશ્નકર્તા : બહુ સારા, દાદા ! દાદાશ્રી : હીરાબા એ પોતે નિર્દોષ માણસ ! ખરાબ વિચાર તો કોઈને માટે આવેલો નહીં એમને. એમનું નુકસાન કરી ગયો હોય ને તોય. જ્યારે મેં કહ્યું, “આ દિવાળીબા ભાગ માગે છે. તે હીરાબા કહે છે, “દિવાળીબાનો ક્યાં ભાગ છે તે ખેતરમાં ?” ત્યારે મેં કહ્યું, ‘નથી, હતોય નહીં. પણ હવે તો ચોંટી પડ્યા છે. ત્યારે મને શું કહે છે ? છોને ચોંટે. એ કંઈ લઈ જવાના છે અને હુંયે કંઈ લઈ જવાની છું ? મેલોને છાલ, છો ને બોલે ! એવો બધો ક્લેશ-કંકાસ ના કરશો” એમ કહે. દિવાળીબાને દુઃખ ના થાય એટલા માટે. અને બીજી હાય હાય શી ? અમથું વગર કામનું, લઈ જવાનું નહીં કશું. એમને એ હાય હાય નહીં કશું. બાકી સ્ત્રી જાતિ તો “હમણે જ હું સ્ટેનલેસ સ્ટીલનું ફલાણું એ લાવી છું', તે સંભાર સંભાર કર્યા કરે. એમને વાસણ-બાસણ કશું યાદ ના હોય, નહીં તો સ્ત્રી જાતિને તો બધુંય “મારું આ રહી ગયું ને મારું ફલાણું.. પોટલી રહી ગઈ.” આમને પોટલી-બોટલી કશું જ નહીં. અને ગયું હોય તેને સંભારવાનું નહીં. ગયું એ ગયું, કહે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy