SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) મેં કહ્યું, “જ્ઞાની પુરુષ ક્રોધ કરે ને, તો બધું ઉડાડી મેલે, કારણ કે અક્રોધી ક્રોધી છે. કેવા છે ? એ અક્રોધી. પણ ક્રોધ દેખાડે ત્યારે જો તો ખરો ! બધું પાંસરું કરીને રહે.” અમારો ક્રોધ વગરનો ક્રોધ તો જુઓ, અમે ઉપયોગમાં રહીને આ ક્રોધ કરીએ છીએ. શું કરીએ છીએ ? “ક્રોધ વગરનો ક્રોધ. ક્રોધી માણસ તેનું નામ કહેવાય કે તન્મયાકાર હોય, પોતાની જાગૃતિ ચૂકે. જ્યારે અમે જાગૃતિમાં રહીને કરીએ ! પ્રશ્નકર્તા : એવું બધાને કરવાની છૂટ ખરી કે ? દાદાશ્રી : એવું છે ને, તમને કરવાની છૂટ હું આપું, પણ એને વાળી લેતા આવડતું હોય તો. અમને વાળી લેતા બધુંય આવડે. અમે પાછું હતું એવું ને એવું કરી આપીએ અને તમારું ક્રેક રહી જશે. અત્યારે અમે કો'કને લઢીએ જ નહીં બિલકુલ, પણ એનું બહુ જ અહિત થતું હોય, ત્યારે અમે લઢીએ. પણ લઢીએ એવા કે સામાનું મન જુદું થઈ જાય એવા લઢીએ. કેવું? આખું મન જુદું જ પડી જાય અમારાથી, ફરી ભેગો જ ના થાય એવા લઢીએ. પણ હું જ્યારે લટું ત્યારે રક્ષા એવી મૂકું કે એનું મન જુદું થાય જ નહીં. એટલે મન જુદું થવા ના દઉ અને લટું. અને લઢવાડ તમે જુઓ તો તમને એમ જ લાગે કે આ મન જુદું થઈ જવાનું. ચઢાવતારા જ પછી વાળવા લાગ્યા એ તો “જ્ઞાની' થઈને બેસવું સહેલું નથી, બા. આવા ફણગા ફૂટે તો બધા મૂળમાંથી કાઢી નાખવા પડે, નહીં તો મોટા ઝાડ થઈ જાય એ તો. જુઓ ને પછી એ આમ ઊલટું બોલવાને બદલે એમ કહેવા માંડ્યા ‘તમારે કશું બોલવું નહીં, લંકે. કોઈ કશું કરવાનું નથી. દાદાને કોણ કશું કરવાનું છે ? એ તો છોડીઓ શું કરવાની હતી ? આ આપણે નકામો વહોરી લેવો ઝઘડો' કહે છે. અને તે બધાના મનમાં શું ? “આપણે માથે આવશે, આ તો એમને તો, બઈને તો ગણતા જ નથી ગુનેગાર.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy