SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ ૨૦૧ સમકિતીની નિશાની શું? ત્યારે કહે, “ઘરના બધા ઊંધું કરી આપે તોય પોતે છતું કરી નાખે. બધી બાબતમાં છતું કરવું એ સમકિતીની નિશાની છે. આટલું જ ઓળખવાનું છે કે આ “મશિનરી' કેવી છે, એનો ‘ફયૂઝ' ઊડી જાય તો શી રીતે “ફયૂઝ” બેસાડી આપવો. સામાની પ્રકૃતિને “એડજસ્ટ થતા આવડવું જોઈએ. અમારે જો સામાનો ‘ફયૂઝ” ઊડી જાય તોય અમારું એડજસ્ટમેન્ટ હોય. આમ એમની મહીંવાળા ભગવાત થયા રાજી હવે મારે તો સિત્યોતેર પૂરા થવા આવ્યા અને ઘરમાં અમારે હીરાબાને છે તે પંચોતેર પૂરા થવા આવ્યા પણ અમારે પિસ્તાળીસ વર્ષથી મતભેદ જ નહીં કોઈ દહાડો. અત્યારેય એ સંભાર સંભાર કરતા હશે. “લોકોનું ભલું કરીને આવો', કહે છે. શું કહે છે ? હવે ચલાતું નથી એમનાથી આ પગે, એક પગે છે તે આ પક્ષાઘાત જેવી અસર છે. તે આમ બેસી રહે ખરા આખો દહાડો. તે હાથ આમ આમ થઈ જાય. એમનાથી સંડાસ જવાય નહીં પણ કોઈ દહાડોય બૂમ નથી પાડી કે મને દુઃખ થાય છે તે ! ત્યાંથી કાગળો આવે, હીરાબા હસતા ને હસતા દેખાય છે, એવા ને એવા. અને મતભેદ તો અમારે પિસ્તાળીસ વરસથી પડ્યો નથી કોઈ દિવસ. એ પ્રેમથી પછી જે એમનામાં રહેલા ભગવાન મારી પર એટલા બધા ખુશ થઈ જાય કે તમે જે માગો એ ફળ આપું, કહે. અને ભગવાન તમારી પાસે જ છે, છેટા નથી ગયા. એમનામાં ભગવાન રહેલા છે. તમારા ભગવાન તમને ન આપે પણ એમના ભગવાન તમને આપે. તમારા ભગવાન એમને આપે. તમારું ડીલિંગ (વ્યવહાર) છે એ પર આધાર. અને ભગવાન કંઈ આપતો-લેતો નથી. એનું ફળ હવે એવું આવે છે કે તમે જો આવી રીતે એને દુઃખ ન આપો તો એનું ફળ આવું જ આવે. એઝેક્ટલી આ તો સાયન્ટિફિક વાત કરું છું. અહીં સમજાવવા પૂરતું નથી આ વાત. સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક ધોરણની વાત કરું છું.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy