SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જ્ઞાની પુરુષ (ભાગ-૨) જાય, તો હજાર રૂપિયા ખાતર તમે મતભેદ પડતો હોય તોય નહીં પાડો. કારણ કે એ નફા-નુકસાનમાં તો બહુ તૈયાર હોય છે બુદ્ધિ. બુદ્ધિનો ધંધો શું ? કે નફો-નુકસાન જ જોયા કરવું, શેમાં નફો ને શેમાં ખોટ ! આ સત્સંગ હેલ્પ કરે એવો છે કે બધાને ? મહાત્માઓ : હા, હા. દાદાશ્રી : ભાઈ, તમને કેમનું લાગ્યું ? આ નકામી ભાંજગડ ! એમણે ધારેલું છે એ આપવાના છે. આપણે કકળાટ માંડીએ એમાં શું સ્વાદ આવે? અને એ પાર્ટનર નહીં આપણા ઘરના ? ભાગીદાર નહીં ? આપણે ના હોઈએ તો કોણ માલિક ? હં. તે પછી હવે એની જોડે આપણે કકળાટ કરીએ કેમ પોષાય ? કકળાટ ઓછા થશે ખરા આ વાક્યોથી ? શું કહે છે ? પ્રશ્નકર્તા ઃ હા, બિલકુલ જાય. દાદાશ્રી : આ શી ભાંજગડ વગર કામની ? આપણે લઈ જવું નહીં ને આ વગર કામના કકળાટ ! એમને મોટું ચડે તો આપણને ગમે નહીં. એ સારું લાગે બળ્યું ? અને આ બધા લોકો જુએ તોય શું જુએ કે હીરાબા કેમ આમ દુ:ખી દેખાય છે ? અને નહીં વસાતમાં કશું. અને વસાત હોય તોય શું થઈ ગયું ? આપણે આપણી મેળે સમજવાનું, આપણું ઘર ચલાવવાનું, કંઈ કો'ક ચલાવી આપે નહીં. અને લોકોની બુદ્ધિથી આપણે ચાલીએ તો લોકોમાં વગોવાઈએ. અને આવતો ભવ બગડે આપણો. એટલે આવતો ભવ સુધારો. “સમય વર્તે સાવધાન'નો અર્થ સમજાવે જ્ઞાતી બધાની હાજરીમાં સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સોદા કર્યા કે “સમય વર્તે સાવધાન” તે તને સાવધ થતાંય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઈએ. ગોર બોલે છે, “સમય વર્તે સાવધાન.” તે ગોર સમજે, પરણનારો શું સમજે ? સાવધાનનો અર્થ શું ? ત્યારે કહે “બીબી ઉગ્ર થઈ હોય ત્યારે તું
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy