SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હ૩. આમ પોતાની બધી ભૂલો સત્સંગમાં ખુલ્લી કરી દેતા. અણસમજણનો કોથળો, આવું તે કંઈ શોભે ? પાટીદારિયા લોહી ને અણસમજણ બે ભેગું થાય તેથી આવા મતભેદો પડેલા. પછી સમજાયું કે આ તો ભૂલ થઈ રહી છે, ઘરના માણસને દુ:ખ કેમ અપાય ? લૌકિક જ્ઞાન સાંભળેલું “બુધે નાર પાંસરી', તે બધી ઘોર અજ્ઞાનતા છેવટે ગઈ ને હીરાબા સાથે સુધારી લીધું. પછી કેટલાય વર્ષથી મતભેદ પડેલો નહીં. પોતે વાઈફના ધણી નથી, ખરેખર પાર્ટનર છે. ધણી તરીકે હક્કદાવો ના બજાવાય, સમજાવી-સમજાવીને બધા કામ કરવા જોઈએ ! ધણીપણાની સત્તા વાપરવાની નથી. બીજા આપણને ધણી કહેશે, એ પદના લાભ ભોગવો પણ સત્તા વાપરવાની નથી. સત્તા જાણીને ભોગવવા માટે છે. ધણી થવામાં વાંધો નથી, ધણીપણું કરવામાં વાંધો છે ! દાદાશ્રી કહે છે કે આંતરિક મતભેદો મટાડવાનો કોઈ ઉપાય છે ? પછી જાતે શોધખોળ કરી કે આનો ઉપાય આપણે પોતાનો મત જ કાઢી નાખો, તો મતભેદ પડે જ નહીં. મારો મત જ નહીં, તમારા મતે મારો મત. આપણો મત ના મૂકવો સામા ઉપર. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? એ એનું પકડી રાખે તો આપણે પોતાનું છોડી દઈએ. કયે રસ્તે સામાને દુ:ખ ના થાય એ જોવું. આપણો અભિપ્રાય સામા ઉપર ઠોકી બેસાડવો નહીં, સામાનો અભિપ્રાય આપણે લેવો. દાદાશ્રી એક વિશેષ વાત કહી જાય છે કે પાછલી જિંદગી અમે હીરાબાના કહ્યા પ્રમાણે ચાલ્યા છીએ, મતભેદ પડે નહીં એટલા માટે ! પોતે પચ્ચીસ વર્ષના હતા ત્યારે જે લાઈફ હતી ઝઘડા-તોફાનવાળી, તે બહુ વિચારી વિચારીને, શોધખોળ કરી કે આની પાછળ કૉઝિઝ શું છે, કેમ આમ થાય છે ? છેવટે પાંત્રીસ વર્ષે બધા તોફાન બંધ થઈ ગયા. તે પછી ઈઠ્યોતેર વર્ષની ઉંમર સુધી કોઈ મતભેદ પડ્યો નથી. જ્ઞાન તો પચાસ વર્ષની ઉંમરે થયેલું. તે પહેલા જ્ઞાન નહોતું, પણ બુદ્ધિકળાઓ બહુ સારી આવડે. તે બુદ્ધિથી પૃથક્કરણ કરી લે કે આમાં શું
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy