SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] સુંદર વ્યવહાર – ‘શું શાક લાવું?” ૧૭૯ ત્યારે આપણે કહીએ કે “તમને ઠીક લાગે છે.” પણ એ પૂછયા વગર રહે, ત્યારે આપણે જાણવું કે ઠોકર ખઈ જશે, માટે આપણે હવે ચેતવો. એટલે આપણે કહીએ કે “આજ કારેલા શું કરવા લાવ્યા ?” એ ના પછે ત્યારે અમે પૂછીએ, ઑડિટ કાઢીએ પાછા. કારણ કે આઉટ ઑફ કંટ્રોલ (નિયંત્રણ બહાર) થઈ જાય માણસ. એક દાદાને જ આઉટ ઑફ કંટ્રોલ થવાનો અધિકાર છે, બાકી બીજા કોઈનેય અધિકાર નથી. બીજાએ કંટ્રોલમાં રહેવું સારું. સર્વ ભૂલો જાય પછી કંટ્રોલની જરૂર નહીં પોતાની સર્વસ્વ પ્રકારની ભૂલો જાય, ત્યાર પછી આઉટ ઑફ કંટ્રોલ રહી શકે. ત્યાં સુધી કો'કનો ઉપર કંટ્રોલ રાખવો જોઈએ આપણે, નહીં તો ડિકંટ્રોલ (અનિયંત્રિત) થઈ જાય, ખલાસ થઈ જાય. એટલે કોક ઉપર માથે જોઈએ. આજના જમાનામાં તો કંટ્રોલરપણું ખસેડી દઈએ, કે ભાઈ, હવે કંટ્રોલરપણું સોંપી દીધું, તો તો પેલું ડિકંટ્રોલ થઈ જશે. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે એ જ્ઞાન છે તે એમની હાજરી પર (એમના તરફથી પૂછવાનું) રહેવા દેવું જોઈએ એમણે કે, ‘તમારે અમને પૂછવું જોઈએ ને અમારે તમને કહેવું જોઈએ.” શું કહ્યું ? પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : તમારે પૂછવું કે “શું શાક લાવું ?” મારે કહેવું જોઈએ, કે “તમને ઠીક લાગે છે.” એ રિવાજ આપણો. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કંઈ રિવાજ ના જોઈએ, બળ્યો ? પ્રશ્નકર્તા : જોઈએ, જોઈએ. પણ તમે એમ કહેવા માગો, તો એમાં આગ્રહ નહીં ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy