SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા કોણ કરશે ? દાદાશ્રી કહેતા કે છોકરાં નહીં હોય તો ચાકરી કરનારા વધારે લોકો મળશે. અને ખરેખર એમની ઘણાં મહાત્માઓએ સેવા કરેલી. પુણ્ય તો જોર કરે ને ! હીરાબાને પૂછેલું કે તમારા બાબાનું, બેબીનું નામ શું હતું? નાના હતા ત્યારે કેવા હતા? કેવડા થયા ત્યારે ગયા ? તો બાએ કહેલું કે દીકરો બે વરસનો થયેલો, એનું નામ મધુસૂદન, બહુ રૂપાળો હતો. આખો દહાડો રમતો અને હસ્યા કરે એવો ! બેબીનું નામ કપિલા હતું. એય બહુ રૂપાળી હતી. એ છ મહિના સુધી જ રહી. [3] મતભેદ નહીં દાદાશ્રી પોતાના આદર્શ વ્યવહારની વાતો કહેતા કે અમારે છેલ્લા પિસ્તાળીસ વર્ષોથી ઘરમાં મતભેદ પડ્યો જ નથી. રોજ જોડે રહેવાનું છતાં મતભેદ નહીં, એવું સુંદર જીવન ! પાડોશી જોડેય મતભેદ નહીં. આજુબાજુ પૂછવા જાવ તો લોક કહે, “ના, કોઈ દહાડો એ લલ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી. એ તો ભગવાન જેવા છે.” અને હીરાબાને પૂછે તો કહે કે ભગવાન જ છે ! મિત્રો જોડેય મતભેદ નહીં, તો વાઈફ જોડે તો મતભેદ હોતો હશે ? ધીસ ઈઝ માય ફેમિલી. બીજા લોકો ઘરની વ્યક્તિઓને “માય ફેમિલી કહે પણ ત્યાં જઈએ તો ત્યાં જમતી વખતે જ કચકચ ચાલતી હોય. પોતાનું ફેમિલી એટલે એમાં કશો ડખો ના હોય. હીરાબા સાથે અમારે મતભેદ બંધ થઈ ગયા, કારણ કે અમે “માય ફેમિલી' કહેતા. માય ફેમિલીમાં વિચારભેદ હોય, પણ ભાંજગડ હોય નહીં, ક્લેશ તો ના જ હોય. દાદાશ્રી કહે છે કે અમે બધાને આત્મસ્વરૂપે જોઈએ છીએ, તેથી અમને જુદું ના લાગે. સામો અવળું-સવળું બોલે તોયે જુદું ના લાગે. કારણ કે અમે વન ફેમિલી રીતે જોઈએ બધાને. હીરાબાને છોડી બેઠો એટલે આખી દુનિયા મારી ફેમિલી થઈ ગઈ, નહીં તો એમને એકલાને ફેમિલી તરીકે રાખીને બેઠો હોત તો શું થાત ? લગ્ન જીવનના શરૂઆતના વર્ષોમાં મતભેદ હતો. હીરાબાને કહેતા 20
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy