SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) ને' એવું કહીએ તો શું થાય ? કહેવામાં વાંધો નથી, પણ કહેવાની રીત હોવી જોઈએ. અને આપણે પોતે એકલા હોય તો પી લેવી. કારણ કે એ પીશે એટલે એમને પોતાને ખબર પડશે ને ! પછી આપણને કહે, “મહીં ખાંડ ન હતી, ભૂલી ગઈ હતી, તોય તમે બોલ્યા નહીં !” ત્યારે કહે, ‘તમને ખબર પડશે ને, કંઈ મારે એકલાને ઓછું પીવાની છે ? એ મારે કહેવું તેના કરતા તમને અનુભવ થાય એ શું ખોટું છે ? એના કરતા અમે શું કરીએ ? આપણે કહીએ, કે “ચા ગળી છે, ચા ગળી છે. એટલે પીએ કે તરત ગળી લાગે, સાયકોલોજિકલ ઈફેક્ટ (મનોવૈજ્ઞાનિક અસર) થાય. નહીં તો ગળી હોય તોય મોળી લાગે. જ્ઞાતી બોધકળાએ રાખે સંયમ, બતાવે સંયમી ભઈને કાલનો ઉપવાસ હોય અને ખાવા બેસે તો વેઢમી મોળી હોય, કઢી ખારી હોય ને શાક ચઢ્યું ના હોય તો શું થાય ? જ્ઞાની તો શું કરે ? કહેવું પડે ‘વ્યવસ્થિત” ને વેઢમી મોળી હોય તો સ્વાદુરસ નાખે કે બહુ ગળી છે, તો ગળી લાગે. આ રીંગણા-બટાકાનું શાક કાચું હોય, તો રીંગણા ચાવીને ખાવાના ને બટાકા કાચા ખાઈએ તો નડે એટલે એ નહીં ખાવાના, બાજુએ રહેવા દેવાના. તે જમાડનાર ખુશ થઈ જાય, કે ભઈ બરોબર જમે છે. સંયમ તો તે ઘડીએ રહેવો જોઈએ. એ સંયમધારીએ તે વખતે કશુંય બોલ્યા વગર શાક ખાવાનું, કઢી ખાવાની, વેઢમી ખાવાની. તે સામેવાળોય ખુશ થઈ જાય. આ તો આવા વખતે આપણામાં સંયમ દેખે તો બાઈ ખુશ થઈ જાય, કે ભાઈ તો કહેવા પડે ! જરાય અકળાયા નહીં કે જરાય મોઢુંય બગાડ્યું નહીં ને કચકચ કર્યા વગર જમી લીધું ! તે ખુશ થઈ જાય. તે સંયમનો વખાણ કરનાર પોતે પણ સંયમી થાય. ભાઈનો સંયમ વખાણી બાઈ સંયમી થાય. આ તો કો'ક દહાડો બાઈથી કઢી ખારી થઈ જાય, ત્યારે મૂઓ ફટાકડા ફોડે. તે પછી પેલી પણ ફટાકડા ફોડે કે તમે તો ક્યારેય ભૂલ જ નહીં કરતા હો.” તે પછી આગળ તડાતડી
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy