SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જ્ઞાની પુરુષ (ભાગ-૨) પ્રશ્નકર્તા : મતભેદ એ કકળાટ નથી, મતભેદ એટલે તો બસ, આનંદ આવે એમાં ! દાદાશ્રી : ના, કશુંય આનંદ ના આવે, કંટાળી જાય છે. આનંદ તો સોગઠાબાજી (ચોપાટ) રમતા હોય તે ઘડીએ આવે, પછી શેનો આનંદ ? ના ભાવ ખઈ લઉ સામાતા આનંદ માટે એક મતભેદ નહીં પડવા માટે તો કેટલું બધું વિચારી નાખવું પડે ! કારણ કે મતભેદ પડેલો જ નહીં ને ! ના ગમતું શાક લાવીને કરે, તોય મારે ખાવાનું. જો રહેવા દઉ તો એમના મનમાં એમ કહે કે નથી ભાવતું આ. એટલે ના ગમતું હોય છતાં હું ખઉં. હા, એમને આનંદ થાય એટલા માટે. એમને ત્યાં નહીં, પણ બધેય. ના ગમતું હોય તે હું ખઉં છું તે એટલા માટે કે સામા માણસને એમ ના લાગે કે આ ના ભાવ્યું. એ કઢી તો ખારી થઈ જાય કોક દા'ડો. ના થઈ જાય એવું ? પ્રશ્નકર્તા : થઈ જાય. દાદાશ્રી : આપણી ભૂલ નથી થતી ? પ્રશ્નકર્તા : થાય, થાય. દાદાશ્રી : એમ, એમની ભૂલ થાય તો આપણે મેળ મેળવી લઈએ, જરા ઓછી લઈને પતાવી દઈએ કામ. પ્રશ્નકર્તા: એમને દોરવણી આપવા માટે કહેવું પડે કે નહીં ? દાદાશ્રી : ઓહોહો ! પછી તમને દોરવણી કોણ આપે ત્યારે, ધંધામાં રોજ નુકસાન કરીને આવો છે? તમને દોરવણી કોણ આપશે ? પ્રશ્નકર્તા ઃ અમને દોરવણી અમારા વડીલો આપી ગયા. દાદાશ્રી : એ એમનેય એમના મા આપી ગયા બધુંય કે આવી રીતે ધણીને ચક્કરે ચઢાવજે ! અને તે આપણે કહેવાની શી જરૂર? આપણે કહેવું અને નમારમુંડા
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy