SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ પરણ્યા ત્યારે એમની ઉંમર પંદર વર્ષની હતી ને હીરાબા તેર વર્ષના હતા. એ જમાનાને અનુરૂપ એમને એટલી ઉંમરે જ પરણાવી દીધા હતા. દાદાશ્રીની વિશેષતા એ છે કે તેમને પ્રસંગો પૂછે તો યાદ કરવું ના પડે, એમને ઉપયોગ મૂકાય ને દેખાય, જેમ છે તેમ પ્રસંગો બનેલા દેખાય. વ્યક્તિઓ, આજુબાજુ કોણ હતા, શું બન્યું હતું, તે વ્યક્તિઓની માનસિક સ્થિતિ, અહંકાર-બુદ્ધિ બધું આરપાર જોઈ રહ્યા હોય એમ વાતો કહી દેતા. પ્રત્યેક વ્યક્તિમાં શુદ્ધાત્મા જોવાનું તો ક્યારેય ચૂકતા જ નહીં. લગ્ન પ્રસંગે સાસુને ખૂબ વહાલ આવવાથી એમને કેડમાં ઘાલીને ઊંચકી લીધેલા અને બીજી બહેનોને જણાવ્યા કરતા કે જુઓ, અમારા જમાઈ ! કેવા રૂપાળા છે ! લાડવા જેવું તો મોટું છે, ગોળ ! સાસુને તો જમાઈ રૂપાળા લાગે જ ને ! દાદાશ્રીના મધર ઝવેરબાયે રૂપાળા હતા. તેથી એમના બન્ને દીકરા પણ એવા જ રૂપાળા હતા. નાના બાળકને જુએ તો લોકોને નાનું બાળક ગમે, એને બોલાવે, રમાડે. પોતે પોતાની પ્રકૃતિને નાનપણથી ઓળખી ગયેલા કે નાનપણમાં લોકો એમને બોલાવે તો પોતે માન ખાઈ લેતા. રૂપનું કારણ અંદરખાને માલ સારો તેથી. દાદા ઓગણ્યાએંસી વર્ષીય રૂપાળા લાગતા, પણ તે જ્ઞાની દશાના તેજને લઈને ! દાદાશ્રીને હીરાબાય રૂપાળા મળ્યા. ચામડી પોચી પોચી, ગુલાબની પાંદડી જેવી, શરીરેય ગુલાબી ! મોટી ઉંમરના થયા તોયે શરીર-હાથ ગુલાબી જ, શરીર નિરોગી તેથી ! હીરાબા બોલે ખરા કે “હું તો રૂપાળી, દાદા શામળા” પણ દાદા કોઈ વખત ગમ્મત ખાતર કહે કે “હું શામળો, તમે ગોરા.” તો બા પાછું કહે, “ના, તમે તો કૃષ્ણ ભગવાન જેવા રૂપાળા. આવા દીકરાને ઝવેરબાએ જન્મ આપ્યો. એ અજાયબી કહેવાયને !” તે જમાનામાં લગ્ન વખતે વરરાજાના કપડાં પ્રેસવાળાને ત્યાંથી ભાડૂતી લાવતા. દાદાશ્રી પોતાનું કહે છે, અમે તો ફોરેનના કાપડમાંથી કપડાં અને લાંબો કોટ સિવડાવેલો. પાછું ફાધરે સોનાના દાગીના 12.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy