SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] દીકરો કે દીકરી, મહેમાન આવ્યા ને ગયા દાદાશ્રી : હા. એટલે જ્ઞાની જેવું વર્તન તો ખરું બધું, મોહ નહીં કોઈ જાતનો. મોહવાળાને પણ શીખવું જોઈએ ને ? પ્રશ્નકર્તા : આપના જેટલી વીતરાગતા કોનામાં હોય, કે જેને મોહ ના હોય એને. દાદાશ્રી : હા, પણ એ તો મારું કહેવાનું કે જેને ના હોય તેને, એટલે પેલા મોહવાળાનેય શીખવું જોઈએ ને થોડુંઘણું? આખી વીતરાગતા ના રખાય, તો થોડીકેય રાખવી જોઈશે ને ? નહીં તો રડી-કરીનેય કાઢવું પડશે ને ? દહાડા તો કાઢવા પડશે ને ? છોકરો મરી ગયો એટલે હવે. રડીને જો તું બંધ ના થવાનો હોય તો રડ્યા કર. રડીને જો બંધ થવાનો હોય તો રડું શું કરવા ? આપણે તો એક કાયદો, રડવું એટલે રડવું. પછી હસવાનું નહીં, એન્ડ (અંત) સુધી. એક જ કાયદો ! રડીને પછી હસવું એ તો ફૂલિશનેસ (મૂર્નાઈ) કહેવાય. ત્યારે રડતો'તો શું કરવા, જો હસવાનો હતો તો ? પ્રશ્નકર્તા : રડ્યો પણ પછી હસવું તો પડે જ. દાદાશ્રી: નહીં, એવું હસવાનું શું કામનું? હસવું એટલે નિરંતર હસો. એ રડતો'તો ત્યારે મેં જાણ્યું કે હવે કાયમ રડ્યા કરશે, મારા મનમાં દુ:ખ થવા માંડ્યું. આ તો પાછો હસવા માંડ્યો થોડીવાર પછી. કો’ક ગલીપચી કરે તો હસે. આમને એવું કશું નહીં. કોઈ ગલીપચી કરે ને, “હા... હો... હા.... હા.” કરી નાખે. અને હું તો જો કદી ઉદાસીન થઈ ગયો ને, તો મને લાખ ગલીપચી કરે તોય એ ગલીપચીવાળા થાકે. જ્ઞાન નહોતું કે, હું ઉદાસીન થઈ ગયો હોઉં, તો લાખ ગલીપચી કરો તોય હસું નહીં. સંસારતો રાગ નાનપણથી જ દેખાયા કરતો આ સંસારનો રાગ અમને નાનપણથી દેખાયા કરે. છોકરો-છોડી થયા પણ મારે અંદરનો રાગ નહીં, બહારથી હોય.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy