SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 'જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો 135 નરક પૃથ્વીની જાડાઈ, લંબાઈ-પહોળાઈ સમગ્ર બ્રહ્માંડમાં આવેલ જે તે પદાર્થના જથ્થાને બતાવે છે. તે રીતે પ્રથમ પ્રકારનો ઉષ્ણ-ઘન પદાર્થ સૌથી ઓછો છે અને સાતમા પ્રકારનો અત્યંત ઠંડો ઘન પદાર્થ સોથી વધુ છે. આ સિવાય સાતેય નારક પૃથ્વીના આધાર તરીકે ઘનોદધિ, ઘનવાત અને તનવાત છે. ઘનોદધિનો અર્થ તેના શબ્દાર્થ પ્રમાણે ઘનસમુદ્ર અર્થાત્ બરફ, તો ઘનવાતનો અર્થ ઘન વાયુ અને તનવાતનો અર્થ પાતળો વાયુ. આ ત્રણે પદાર્થ પણ આધુનિક વિજ્ઞાન પ્રમાણે અસ્તિત્વ ધરાવે છે. વળી તે નારકના જીવોના નિવાસ માટે અનુકૂળ છે. ટૂંકમાં, વર્તમાન બ્રહ્માંડમાં જ્યાં ક્યાંય આ પ્રકારની પરિસ્થિતિ હશે, ત્યાં નરકાવાસ હશે જ. જો કે લોકના ચાર્ટમાં તે અધોલોક તરીકે દર્શાવેલ છે પરંતુ વાસ્તવમાં આપણી પૃથ્વીથી કોઈપણ દિશામાં તે હોઈ શકે છે. | વાપીથ ડ્રો સના શુth #ા સ્થાન અર્થાત્ ૭ રનર... . रत्नप्रभा नरक १ शर्कराप्रभा नरक वालुकाप्रभा नरक ३ पंकप्रभा नरक४ धूमप्रभा वमप्रभा नरक६ नरक ७ तमस्वमसभा
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy