________________
*
ઝાકળભીનાં મોતી
❖❖❖ શાંત પાડવાના છે. એની ભડભડતી જ્વાળાઓને ધીરજથી ઠારવાની છે. આ માટે મનને જાણવાની અને પામવાની ધીરજ જોઈએ.
ધીરજ એ મનની કેળવણી છે અને સાચી સમજ મનને કુમાર્ગે જતું અટકાવે છે.
-
◆◆◆◆◆◆ 152
.......
૫૦
‘હું’નો સંસાર
એક સમ્રાટને પરમાત્મા પામવાની ઝંખના જાગી. એણે સત્તા છોડી, રાજ્ય તજ્યું, સઘળી સંપત્તિનું દાન કર્યું. ગરીબ ભિખારી જેવા વેશમાં એ જંગલમાં આવ્યો અને ત્યાં વસતા તપસ્વી મહાગુરુના આશ્રમમાં રહેવા લાગ્યો.
મહાગુરુએ એને તદ્દન વિચિત્ર કામ સોંપ્યું. એનું કામ આશ્રમનો કચરો એકઠો કરી દૂર ફેંકી આવવાનું હતું.
આશ્રમવાસીઓને મહાગુરુની આ વાત ઘણી નિર્દય જણાઈ. જેણે પરમાત્મા પામવા કાજે સઘળી સંપત્તિનો ત્યાગ કર્યો, એને કંઈ આવું કામ તે સોંપાતું હશે ?
કોઈએ મહાગુરુને વિનંતી પણ કરી કે આ સમ્રાટને બીજું કંઈ કામ આપો તો સારું. ત્યારે મહાગુરુએ કહ્યું કે, “સમ્રાટ પોતાની સઘળી સત્તા લઈને જ આવ્યા છે. એની પૂરી પરીક્ષા થયે હું એમને બીજું કોઈ કામ સોંપીશ.”
153