________________
[૨૪]
ડીતિ અને કલ્યાણ
મહાપ્રભુ ચૈતન્ય સદાય ભક્તિમાં મસ્ત રહેતા હતા. એમના એક પરમ મિત્ર રઘુનાથ શિરોમણિ હતા. બંને વચ્ચે એવી દોસ્તી કે જાણે પુ ૫ અને પરિમલ.
રઘુનાથ શિરોમણિએ ન્યાયશાસ્ત્ર પર એક સુંદર ટીકા લખી. એણે એ પોતાના પરમ મિત્ર ચેતન્યદૈવને ઉમંગ અને ઉત્સાહથી બતાવી. ચૈતન્યદેવ મિત્રની વિદ્વત્તાથી પ્રસન્ન થયા અને કહ્યું કે, “સાચે જ એ ભુત છે !”
રઘુનાથ શિરોમણિના અંતરના શબ્દો બહાર સરી પડ્યા. એમણે કહ્યું, “મિત્ર ! આ ટીકા તો મને ભારતભરનો એક શ્રેષ્ઠ પંડિત બનાવશે. મારી કીર્તિ જગતભરમાં ફેલાઈ જશે. સાચે જ મારું જીવતર સફળ થયું. મારો શ્રમ સાર્થક બન્યો.”
ચૈતન્યદૈવે મિત્રને કહ્યું કે તેઓ પણ ન્યાયશાસ્ત્ર પર આવી એક ટીકા લખી રહ્યા છે. રઘુનાથના હૃદયમાં ફાળ પડી. એ ચૈતન્યદેવના ઘેર ગયા અને એમની પાસેથી પુસ્તક
ઝાકળભીનાં મોતી
કે લઈને વાંચવા લાગ્યા. પણ જેણ પુસ્તક વાંચે તેમ એમનો ચહેરો વધુ ને વધુ કાળો પડતો ગયો. એમના મુખ પર ઘેરો વિષાદ છવાઈ ગયો. જાણે નૂર ઊડી ગયું હોય એવો તેમનો દેખાવ લાગવા માંડચો.
ચૈતન્યદેવ મિત્રનો મનોભાવ કળી ગયા. એમણે રઘુનાથને પૂછ્યું, “કેમ, આટલા બધા વિચારમાં પડી ગયા ?” - રઘુનાથે કહ્યું, “મિત્ર ! તારી ટીકા આગળ મારી ટીકા તો તાંય નહિ સ્પે. મને એમ હતું કે મારી ટીકાથી ભારતભરમાં કીર્તિ મેળવીશ પણ તારી ટીકા વાંચતાં એમ લાગે છે કે હવે એ વાત સ્વપ્ન બની જશે. ઓહ ! મારી વર્ષોની મહેનત સાવ વ્યર્થ ગઈ ?”
ચૈતન્યદેવ કશું બોલ્યા નહિ. એ રાત્રે બંને મિત્રો જલવિહાર કરવા નીકળ્યા. પૂર્ણિમાની ચાંદનીમાં નાની શી હોડીમાં બંને નીકળ્યા. બંને વાતોમાં ડૂબી ગયા. એવામાં ચૈતન્યપ્રભુએ કપડામાં વીટાળેલી એક પોથી બહાર કાઢી અને નદીના જળમાં પધરાવી દીધી.
રઘુનાથ શિરોમણિના વિસ્મયનો પાર ન રહ્યો. એમણે પૂછ્યું, “મિત્ર ! આ તે શું કર્યું? પાણીમાં પોથી કેમ પધરાવી દીધી ?”
હળવું સ્મિત કરતાં ચૈતન્યપ્રભુએ કહ્યું : “રઘુનાથ ! એ તો તે જો ચેલી ન્યાયશાસ્ત્ર પરની મારી ટીકા હતી. એને