SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ફ૪૦૪૪૪૪૪ ઝાકળભીનાં મોતી હ૦૦૦૦૦૦૦૦ ભગવાનને માટે અને ભવિષ્ય ભગવાનને માથે - એ એમની જીવનરીતિ હતી. પરમાત્માને પામવાની ઝંખના રાખનારે કાલની રાહ જોવાની ન હોય, જે થશે તે તો આજે જ થશે. આવતી કાલ તો ઝાંઝવાનાં જળ જેવી છે, જે તમને રોજરોજ કાલને માટે દોડાવ્યા કરશે ને આખરે ભારે તરસ્યાને પાણીનું ટીપું પણ હાથ નહિ આવે ! [૧૫] મનથી દોરાઈ જવાનું નથી, મનને દોરવાનું છે. ----------------- ઝઘડો મનમાં હોય છે. કામમાં ઝઘડો હોતો નથી. ઝઘડાળુ લોકોની પણ જમાત હોય છે. એમનું મન હંમેશાં ‘નાચવું નહિ તો આંગણું વાંકું’ કર્યા કરતું હોય છે. બધે ઝઘડો ચાલે તો કવિઓમાં ઝઘડો કેમ ન ચાલે ? લખનૌ અને દિલ્હીના ઉર્દૂ ભાષાના કવિઓ વચ્ચે ઝઘડો ચાલે ! ભયંકર ઝઘડો ! એકબીજાને ગાળોથી જ નવડાવે. સામે મળે તો આંખો કાઢે ! તક મળે તો તીખો કટાક્ષ કરવાનું ન ચૂકે. ઝઘડાનું મૂળ કારણ એ હતું કે રથ મોખન્નસ (રગીલિંગ) કે મુજક્કર (પુંલ્લિંગ) છે ? 55 ફફફ8888888
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy