SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અંધેરના સાક્ષી નહીં પ્રજાને પણ હું એ જ કહેતો હતો કે દીવાન કોને નીમવો એ સત્તા આપણે મેળવવાની વાત છે. એ વસ્તુ તો અનાદિ કાળથી ચાલતી આવેલી વસ્તુ છે કે રાજાને જો રાજ્ય કરતાં ન આવડતું હોય તો તેને પદભ્રષ્ટ કરવો. પછી પણ મેં એ જ વાત કહી હતી. જ્યારે નવા દીવાન આવ્યા અને તે બધી ગધ્ધામસ્તી ચલાવતા હતા ત્યારે ભાદરણમાંથી મેં કહ્યું હતું કે પ્રજાએ હવે પોતાનો રાજા ચૂંટી લેવો પડશે. જ્યારે એ વાત કહી ત્યારે રાજ્યમાં એક કમિટી નિમાઈ. કોંગ્રેસનો તો ઠરાવ છે કે તે રાજાઓ સાથે મિત્રાચારીનો સંબંધ રાખવા ઇચ્છે છે. પણ જો રાજ્યમાં અંધેર ચલાવવું હોય તો કોંગ્રેસ એ ટગર ટગર જોઈ રહેવા માટે સાક્ષી બનવાની નથી, કારણ બ્રિટિશ હિન્દ્રની પ્રજા અને રાજસ્થાનોની પ્રજા એ એક અને અવિભાજ્ય છે. - ૪૮ ] સજીવન કરીશું | આજે ટાઉસમાં એક ડહાપણભર્યો લેખ આવ્યો છે. તે લખે છે કે, આ તો કેવળ મિથ્યા લડત છે અને પૈસાની બરબાદી થાય છે. આજે એકાએક ટામીને દયા છૂટી આવી છે. સાત વર્ષ જ્યારે અંધેર કારભારથી પ્રજા કચડાઈ રહી હતી ત્યારે કાંઈ ન સૂઝવું, પણ હવે જ્યારે નાક દબાયું ત્યારે તેની એ બધી ડહાપણભરી સલાહ શરૂ થઈ. અત્યારે શી એવી ગરજ આવી છે કે દયા ખાવા નીકળી પડ્યા છો ? રૂપિયા પાચસોના દીવાનને બદલે રૂપિયા પચીસસોનો દીવાન બોલાવાયો ત્યારે કેમ કાંઈ ના લખાયું ? આખા મુંબઈ ઇલાકાનું તંત્ર ચલાવવા રૂપિયા પાચસોનો પ્રધાન છે અને ખાબોચિયા જેટલા રાજકોટનું તંત્ર ચલાવવા રૂપિયા પચીસસોના પગારથી બોતેર વર્ષના બુઢાને બોલાવવામાં આવે છે ત્યારે કેમ કાંઈ બોલાતું નથી ? અમારે એવા ઘરડા બળદને ગાડી નથી આપવી. અમારે તો હાલના અંધેર રાજ્યકારભારનો ભુક્કો કરી નાખવો છે અને તેની ફરી રચના કરી તેને સજીવન કરવું છે.
SR No.034296
Book TitleSardarni Vani Part 03
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2001
Total Pages41
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy