SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અબ હમ અમર ભયે પ્રેરણાની પાવનમૂર્તિ રીતે જનસમૂહનો વસવાટ હોય, તો તીર્થની રક્ષા થાય અને સહુને પ્રભુભક્તિનો અપૂર્વ યોગ સાંપડે. વળી એ સહુ વલ્લભસ્મારકનાં સઘળાં કામોમાં સહયોગ આપે. એમની આ ભાવના પ્રગટ થતાંની સાથે જ સહુએ ઝીલી લીધી અને એ સમયે ૧૩૦ જેટલી વ્યક્તિઓએ સોસાયટી માટે પોતાનાં નામ નોધાવ્યાં હતાં અને સમય જતાં અહીં ૨૩૩ જેટલા પરિવારો વસવા લાગ્યા. વલ્લભસ્મારકમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલવા લાગી. અગાઉના સંસ્કૃતિમંદિરનું સર્જન પ્રકરણમાં જે અગિયાર પ્રવૃત્તિઓની કલ્પના કરી હતી તેમાંથી મોટા ભાગની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. યોગ અને ધ્યાનનું સંશોધન, હસ્તકલા ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ સિવાય અન્ય પ્રવૃત્તિઓ ચાલવા લાગી અને નિસર્ગોપચારના સંશોધનને બદલે અત્યારે હોમિયોપેથી દવાખાનું ચાલે છે. આમ એક સાથે અનેક પ્રવૃત્તિઓનું પ્રાગટ્ય થયું, વલ્લભસ્મારક ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પુષ્પોનો મઘમધતો બગીચો બની ગયું. મહારાજીનાં મહાન આયોજનો આકાર પામતાં હતાં, પણ બીજી બાજુ સ્વાથ્ય સાથ આપતું નહોતું, પરંતુ એમની ધર્મનિષ્ઠા, પ્રભુભક્તિ, ગુરુઋણને ક્યાં એની ઝાઝી ફિકર હતી ! એક બાજુ સંકલ્પની સિદ્ધિ અને બીજી બાજુ સાથ ન આપતું સ્વાચ્ય! પોતાના ગુરુની સ્મૃતિનું ભવ્ય સર્જન તો કર્યું, પરંતુ એની સાથોસાથ એ સર્જનમાં સતત નવો પ્રાણ ફૂંકવાની એમની ઇચ્છા રહેતી હતી. પરિણામે આ મહાન કાર્ય માટે એમણે એમની સઘળી શારીરિક અને માનસિક શક્તિઓ નિચોવી નાખી. જીવનના અંતિમ શ્વાસ સુધી કાર્ય કરવાની એમની પ્રબળ ભાવના હતી અને રોમેરોમમાં વ્યાપેલી ગુરુભક્તિનો એ પોકાર પણ હતો. ગુરુવલ્લભના આદર્શોને એ કાર્યરૂપે મૂર્તિમંત કરતાં હતાં. આત્મબળ અને ગુરુભક્તિથી અશક્ય ધર્મકાર્યોને શક્ય બનાવતાં હતાં. ચોપાસ સિદ્ધિ અને સફળતામાં વિહરતાં હોવા છતાં મહત્તરાજી એનાથી સર્વથા જળકમળવત્ નિર્લેપ રહ્યાં. એમનું તન વ્યાધિગ્રસ્ત હતું, છતાં મન સમાધિસ્થ હતું. પોતાના અંતિમ કાળના છેલ્લા ત્રણ-ચાર મહિના એમણે નવી નવી યોજનાઓ દ્વારા વલ્લભસ્મારકને વિશિષ્ટ બનાવ્યું હતું, પણ હવે વિરલ બનાવવું હતું. જુદાં જુદાં ટ્રસ્ટોની સ્થાપના કરી. હતી અને એ ટ્રસ્ટ દ્વારા વલ્લભસ્મારકને અપૂર્વ યોગદાન મળતું હતું. છેલ્લા ચાર મહિના દરમિયાન તેઓ મૃત્યુનો સંકેત
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy