SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ યોગ્ય સંરક્ષણ, સૂચીકરણ અને વર્ગીકરણની ઇચ્છા હતી. પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના સહયોગથી સ્મારક-ભવનમાં, પાટણમાં કાર્યરત ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી પૂ. મૃગાવતીજીની પ્રેરણાથી દેશની રાજધાની દિલ્હીમાં લઈ જવામાં આવી જેથી તે સંસ્થામાં વધારે વ્યાપક અને ગહન સંશોધનકાર્ય થઈ શકે. એ પછી દેશવિદેશથી આવનારા સંશોધકો તથા દર્શનાર્થીઓના નિવાસ અને ભોજનની વ્યવસ્થા માટે શ્રી વલ્લભસ્મારક ભોજનાલય ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને એને આકાર આપવામાં આવ્યો. ભોજનશાળાના નિષ્ઠાવાન પ્રમુખ શ્રી કૃષ્ણકુમારજી (કે.કે.રબ્બર), ટ્રસ્ટી શ્રી શાંતિલાલજી ખિલૌનેવાલે, સેક્રેટરી શ્રી શશિકાન્ત મુન્હાની, ટ્રસ્ટીમંડળના શ્રી નરેન્દ્રકુમાર ભુરામ પટ્ટીવાલે, અનુરાધાબહેન (એમ.એલ.બી.ડી.), સુધાબેન શેઠ, શ્રીમતી અમિતાબહેન (એન કે.) વગેરે સહુ વલ્લભ-સ્મારકના તમામ પ્રસંગોમાં તથા બી. એલ. ઇન્સ્ટિટ્યૂટના સમર સ્કૂલ, સેમિનાર વગેરે દરેક પ્રસંગે ભોજનની સુંદર વ્યવસ્થા સ્વયં ઉપસ્થિત રહીને ભક્તિભાવપૂર્વક કરતા હતા. પૂ. સાધ્વીજી મહારાજ પ્રતિ લોકોમાં એવી શ્રદ્ધા અને સમર્પણનો ભાવ થયો હતો કે શ્રી વલ્લભસ્મારક ભોજનાલયમાં સાધર્મિક ભક્તિ અને બી. એલ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજીના સેમિનાર માટે આવેલા વિદ્વાનો માટે શ્રી કાંતિલાલજી દાળવાળા દાળ અને કઠોળની જેટલી પણ જરૂરત હોય તેટલી પોતાની મીલથી મોકલવા લાગ્યા. કુરુક્ષેત્રથી શ્રી શુભભાઈ ગાંધી પોતાના સેલરથી ચોખા અને સ્મારકના ટ્રસ્ટીઓ પોતાના ફાર્મહાઉસથી ઘઉંની ગુણ મોકલવાં લાગ્યા. જંગલી પુના ગામના રહેવાસી વલ્લભસ્મારક ભૂમિના દાતા શ્રી ભરતસિંહજી રાણાની ધર્મપત્ની શિક્ષિકા શ્રીમતી સુષમા રાણાએ પણ પોતાના પગારમાંથી રૂ. ૧૧OOO સ્મારકની ભોજનશાળાના સ્થાયી ફેડમાં આપ્યા. આ પ્રકારે આ યુગમાં પણ સતજુગના દર્શન થઈ રહ્યાં હતાં. શ્રી કાંતિલાલજી તો ૩૦ વર્ષથી સતત આટલો મોટો લાભ હજી પણ લઈ રહ્યા છે. મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનું આંતરબાહ્ય ચિંતન અવિરત ચાલતું હતું. આંતરિક ધર્મઆરાધના સાથે લોકકલ્યાણનાં કાર્યો થતાં હતાં. અલ્પ આહાર, ઉચ્ચ વિચાર, નિર્મળ વ્યવહાર અને દૃષ્ટાંતરૂપ સાદાઈ એ એમના જીવનની નવી પેઢીનું નૂતન તીર્થ આગવી શૈલી હતી. એમના વિચારોનું એમના આચરણમાં પ્રતિક્ષણ પ્રતિબિંબ જોવા મળતું હતું. પોતાની આજ્ઞાંકિત વિદુષી શિષ્યાઓ સાથે ભિન્ન ભિન્ન યોજનાઓ અંગે વાતચીત કરતાં હતાં. હવે એમને એમ લાગ્યું કે કાર્યનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે વિશેષ ભૂમિની જરૂર પડશે. એને પરિણામે આજે શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ નિધિટ્રસ્ટ પાસે બાવીસ એકર જેટલી વિશાળ જમીન છે. ૧૯૮૪ની ૧૦મી મેએ દાનવીર શ્રી દીપચંદભાઈ ગાર્ડ દ્વારા શીલસૌરભ વિદ્યાવિહાર હૉસ્ટેલ બ્લોકનું વિધિવત્ ઉદ્ઘાટન થયું અને એના બેંઝમેન્ટમાં ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજીનો આરંભ થયો. આ પ્રસંગે શ્રી વલ્લભસ્મારક ભોજનાલયનું ઉદ્ધાટન થયું. સાધ્વીશ્રી મૃગાવતીજીને ત્રેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીનું એક સુંદર વાસ્તુકલા અને શિલ્પકલાયુક્ત મંદિર સ્થાપવાની ઇચ્છા જાગી અને ધીરે ધીરે એમના અથાગ પ્રયત્નોને પરિણામે ૧૯૮૪ની ૧૮મી જાન્યુઆરીએ શ્રી પદ્માવતી મંદિરનું ભૂમિપૂજન થયું. ૧૯મી જાન્યુઆરીએ એની આધારશિલા રાખવામાં આવી અને ખૂબ ઝડપથી એનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ ૧૯૮૪ની ૧૧મી મેએ દેવી પદ્માવતીજીના નવનિર્મિત મંદિરના પ્રતિષ્ઠામહોત્સવનો સમય આવ્યો. મંદિરનિર્માણ માટે એમની પાસે માત્ર ચાર મહિનાનો સમય હતો, પરંતુ સાધ્વીશ્રી મંગાવતીજીની કાર્યકુશળતા અભુત હતી અને શ્રી શાંતિલાલજી (ખિલોનેવાલા) જેવા કર્મઠ કાર્યકર્તાઓ આ નિર્માણ કાર્યમાં તન-મન-ધનથી. જોડાઈ ગયા. માત્ર ચાર જ મહિનામાં માતા પદ્માવતીદેવીના જિનાલયની પ્રતિષ્ઠા થઈ, જેનો લાભ શ્રી શાંતિલાલજી પરિવારે (એમ.એલ.બી.ડી.) લીધો. આ પરિવાર પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ પ્રત્યે અત્યંત શ્રદ્ધા ધરાવનાર અને એમને બહેન તરીકે માનનાર છે. શ્રીમતી લીલાવતીબહેન આટલા મોટા સંયુક્ત પરિવારમાં રહેવા છતાં ખૂબ જ ગંભીર, અનાસક્ત, સેવાભાવી અને કોઈપણ સમસ્યાનું સમાધાન કરવામાં વિચક્ષણ છે. ઘરના અને શ્રીસંઘના નાનામોટા બધાં જ સદસ્યો એમને ચાઈજી (બા) તરીકે બોલાવે છે. પૂ. સાધ્વીજીએ પોતાની સાધ્વીઓને એમને સોંપ્યા કે તમે સંભાળ રાખજો.
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy