SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ મહત્તરાજીની એ સદૈવ ભાવના રહેતી કે વલ્લભસ્મારકની તસુએ તસુ ભૂમિ ધર્મઆરાધના અર્થે, શ્રુતસાધના અર્થે કે જનકલ્યાણ અર્થે જ ઉપયોગમાં લેવાય. એના દ્વારા એમનો આશય વ્યાપક માનવકલ્યાણનો હતો. જૈન-જૈનેતર સહુ કોઈએ એમની મધુર પ્રેરક વાણી સાંભળીને તન, મન અને ધનથી સાથ અને સહયોગ આપ્યો. કેટલાક પરિવારોએ તો આને પોતાનું જીવનકાર્ય માન્યું અને કેટલીક સમાજસેવી વ્યક્તિઓએ તો સ્મારકના સર્જન માટે જીવનસર્વસ્વ હોમી દીધું. પરિણામે આ સ્મારક પૂજ્ય યુગવીર આચાર્યશ્રીની પુણ્યસ્મૃતિ ધરાવે છે, તો એની સાથોસાથ મહરરાજી અને એમના સાધ્વીસમુદાયની અવિહડ ગુરુભક્તિનું પ્રેરક પ્રતીક પણ છે. જિનમંદિરના નિર્માણ માટે એમણે શ્રી વાસુપૂજ્ય જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ નામની એક બીજી સંસ્થા શરૂ કરી અને એમાં સર્વશ્રી શાંતિલાલજી (એમ.એલ .બી .ડી.), શ્રી વીરચંદજી જૈન (એન.કે .રબ્બર) તથા લાલા ધર્મચંદજીને આજીવન ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા તેમજ શ્રી રામલાલજી તથા શ્રી વિનોદલાલ દલાલને અનુક્રમે એના પ્રમુખ અને મંત્રીનું સ્થાન આપ્યું, જ્યારે સુદર્શનલાલજીને કોષાધ્યક્ષની જવાબદારી સોંપી. આ વલ્લભસ્મારકમાં ચાલતા ઇમારતોના નિર્માણકાર્ય સમયે લાલા શાંતિલાલજી ખિલૌનેવાલેએ સહુના આતિથ્ય-સત્કારની જવાબદારી સ્વીકારી. દૂબળા-પાતળા, સદાય હસમુખા અને ઉલ્લસિત ચહેરો ધરાવતા શ્રી શાંતિલાલજી એક એવા મૂક અને નિઃસ્પૃહી કાર્યકર છે કે અનેક પ્રસંગોમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરતા હોવા છતાં ભાગ્યે જ એ પ્રસંગની તસવીરોમાં એમની છબી જોવા મળે. અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ વચ્ચે એમણે પૂ. મહેત્તરા મૃગાવતીજીની એકનિષ્ઠાથી વૈયાવચ્ચ કરી. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી નિર્ભયતાથી જંગલમાં રહ્યા અને પ્રારંભમાં સાવ નિર્જન એવા સ્મારકસ્થળ પર આતંકવાદના ભયની વચ્ચે પણ પોતાનો કર્મયોગ અવિરતપણે ચાલુ રાખી શક્યા તે તેમના જેવા શ્રાવકોના કારણે જ શક્ય બન્યું. શાસ્ત્રોમાં તેમના જેવા શ્રાવકો માટે માતાપિતાની ઉપમા દર્શાવવામાં આવી છે. સાધુ-સંતોની વૈયાવચ્ચમાં તેમનું સ્થાન મોખરાનું ગણાય. પૂ. સુજ્યેષ્ઠાજીની જેમ તેઓએ પૂ. મૃગાવતીજીની એટલી બધી વૈયાવચ્ચ કરી કે વલ્લભસ્મારકના ઉત્સાહી અને કર્મનિષ્ઠ મંત્રીશ્રી નવી પેઢીનું નૂતન તીર્થ રાજ કુમાર જૈને જાહેરસભામાં તેઓની સેવાની પ્રશંસા કરી હતી. કડકડતો શિયાળો હોય કે બળબળતો ઉનાળો હોય કે પછી મૂશળધાર વર્ષા હોય, તો પણ એમણે સહુનું એવું આતિથ્ય કર્યું કે એમની અટક ‘ખિલૌનેવાલે’ને બદલે ‘ખિલાનેવાલે’ પડી ગઈ. નિસર્ગોપચારમાં દઢ શ્રદ્ધા ધરાવતા એમણે વલ્લભસ્મારકના નિર્માણકાર્ય સમયે આશરે ૩૦૦ જેટલા મજૂરો, સોમપુરા શિલ્પીઓની લાગણીપૂર્વક સેવા કરી હતી. પોતાની નવી ખરીદેલી ગાડી પણ કોઈ ઘાયલ સેવકને લઈ જતાં લોહીવાળી થાય તો પણ એમણે ક્યારેય કોઈ ચિંતા કરી નથી. તેમનાં ધર્મપત્ની કમલબહેન, પુત્રવધૂ અંજલિબહેન, પૌત્રવધૂ અંકુબહેન વગેરે તેમના પરિવારનાં બધાં સભ્યો પણ એમની માફક આજે સેવામાર્ગે ચાલી રહ્યાં છે. આવા શ્રી શાંતિભાઈએ સાધ્વી સુજ્યેષ્ઠાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ, મહત્તરા સાધ્વી મૃગાવતી ફાઉન્ડેશન, શ્રી વલ્લભસ્માર ક ભોજનાલય ટ્રસ્ટ, દેવી પદ્માવતી ચૅરિટેબલ ટ્રસ્ટ વગેરેમાં ખૂબ નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી શિક્ષણ સંસ્થાઓના નિર્માણની સાથોસાથ એમાં સંસ્કારબીજ રોપવા માટે જિનમંદિરોની સ્થાપનાને આવશ્યક માનતા હતા અને આ કારણે જ સ્મારકભવનના પશ્ચિમ ભાગમાં ભવ્ય, કલાત્મક ચતુર્મુખ જિનમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. દેલવાડાનાં મંદિરોની કલાકૃતિનું સ્મરણ કરાવતી અને સુંદર આભામંડળ ધરાવતી આ પ્રભુપ્રતિમાઓ જોનારના હૃદયમાં એક નવીન ભાવ જગાડનારી બની. - આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ દ્વારા ગુજરાનવાલામાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુળની સ્થાપના કરવામાં આવી હતી. એ ગુરુકુળમાં એક વિશાળ હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથો ધરાવતું પુસ્તકાલય હતું. ભારત અને પાકિસ્તાનનું વિભાજન થતાં ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું અને એ સમયે ત્યાંના મંદિરના ભોંયરામાં આ હસ્તપ્રતો અને મુદ્રિત ગ્રંથો સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને રાજ્યપાલશ્રી ધર્મવીરના પ્રયત્નો અને સહકારને પરિણામે આ અમૂલ્ય ગ્રંથભંડાર પાકિસ્તાનથી ભારતમાં લાવવામાં આવ્યો. ઈ. સ. ૧૯૮૦ની ૨૮મી
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy