SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નવભારતના ભાગ્યવિધાતા શિષ્ય : ત્યારે સાહેબ, જેવા હતા—તમે વલ્લભભાઈ સાહેબ કહો છો શિક્ષક શિષ્ય શિક્ષક શિક્ષક : ના, સાહેબનો સાચો અર્થ સમજી લ્યો. સાહેબ એટલે ભગવાન નહીં, પણ ભગવાનની નિકટ જેવા જે હોય તે. ગાંધીજીને ઘણા ગાંધી સાહેબ કહેતા. કબીરજીને કબીર સાહેબ કહીએ છીએ. ગુરુ નાનકને નાનક સાહેબ કહેવાય છે. સાહેબનો અર્થ તો અંગ્રેજો આવ્યા એટલે આપણે બગાડી નાખ્યો, બાકી તે પહેલાં અને આજે શીખ કોમના ધર્મપુસ્તકને ‘ગ્રંથ સાહેબ' કહેવામાં આવે છે. : ત્યારે વલ્લભભાઈ, સરદાર તરીકે ક્યારે જાણીતા થયા ? : હજી વાર છે. જરા ધીરજ રાખો. હવે સરદાર થવા માંડવાની તૈયારીમાં છે. આપણે અમદાવાદથી બારડોલી પહોંચશું કે, વલ્લભભાઈને સરદાર જ કહેવા પડશે, તે આખર જીવન સુધી. : ત્યારે અમદાવાદમાં મહાસભાની બેઠક ભરાઈ. ક્યાં ? : એલિસબ્રિજ ઊતરી ડાબે હાથે જઈએ ત્યાં પ્રીતમનગરના મેદાનમાં. ત્યાં ત્યારે ૧૯૨૧માં, મોટું મેદાન હતું. : અમદાવાદમાં પહેલી જ બેઠક ? : ના, ૧૯૦૨ની સાલમાં એક બેઠક થઈ હતી. પછી આ, અને એ જ સમયે ઉત્તરમાં બ્રિટિશ પ્રિન્સ ઑફ વેલ્સ, હિંદના ભવિષ્યના શહેનશાહની પધરામણી. : એડવર્ડ આઠમાં. એણે તો... : હા, એણે તો રાજા થઈ ગાદી છોડી દીધી હતી. પણ એ જુદી વાત. આ યુવરાજના દિલ્હીમાં ભવ્ય સ્વાગત યોજાયાં. મનિષાપિલીટી એ યોજ્યા બ્રિટિશ અધિકારીઓએ. પ્રજાની જરા પણ મરજી નહીં. દિલસોજી, હોંશ કશું જ નહીં. પ્રજા તો સ્વાગતનો બહિષ્કાર જ કરે. જે શહેરમાં એ જવાના, તે શહેરના નેતાઓને સરકાર કેદમાં પૂરી દે, એમ અમદાવાદની મહાસભાની બેઠકમાં પ્રમુખ શ્રી ચિત્તરંજનદાસને કલકત્તા પકડી જેલમાં પૂર્યા. શિષ્ય : ત્યારે અહીં, અમદાવાદના પ્રમુખ કોણ થયા ? શિક્ષક : અરે એમ કંઈ કોઈનાં કામ પડ્યાં રહે છે ? તરત દિલ્હીના હકીમ અજમલખાનને પ્રમુખ નીમ્યા, તે પધાર્યા. શિષ્ય : તે સમયે એમના તથા ગાંધીજીનાં ભાષણ સરસ થયાં હશે. : વાંચી જજો. આજે વાંચશો તોયે એમાં તાજગી જોવા મળશે. એ વખતે સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે વલ્લભભાઈ પટેલનું ભાષણ પણ સુંદર હતું. ટૂંકું ને ટચ. એમાં એમણે અમદાવાદ, નડિયાદ અને સુરતની મ્યુનિસિપાલિટી ઉપર સરકારે તાળાબંધી કરી, નિશાળોના કબજા લઈ બેઠા, એ વિષે અને એ માટે સવિનય ભંગની લડત આપી સરકારને હરાવવા તથા હઠાવવાની હાકલ કરી. એ વિશે મૂળ ઠરાવ ગાંધીજીએ મૂક્યો; અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલે એને ટેકો આપ્યો. ત્યારે વિઠ્ઠલભાઈ સાહેબે પણ સરકારની ક્રૂર, જુલ્મી, ગેરકાયદેસર રાજ્યનીતિ ઉપર સારો પ્રકાશ પાડ્યો. એ સમયે જે ઠરાવ થયો એમાં સવિનય ભંગની લડત બારડોલી તાલુકાથી શરૂ કરવાનું નક્કી થયું. શિષ્ય : ઓ, એમ ૧૯૨૧ની સાલમાં. શિક્ષક : અને ૧૯૨૩માં મ્યુનિસિપાલિટીનો શાળાબંધીનો ખટલો કોર્ટમાં પત્યો. શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy