SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મનિષાપિલીટી ૮૦ શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક નવભારતના ભાગ્યવિધાતા : આપણા રાજા બ્રિટિશ સરકાર–બ્રિટિશ તાજ , અંગ્રેજી સલ્તનત તે જર્મનો સામે લઢે તો એની ફોજમાં ભરતી તો આપણા જ માણસોની થાયને ? હિંદી સૈનિકો વિના મોખરે લઢે કોણ ? : એમ ? : એમ જ—અને એના ભલા ભોળા ગાંધીજીએ સૈનિકોની ભરતીમાં ભાગ લીધો. એમના મનમાં એમ કે અંગ્રેજોને આ ભીડમાં સમયમાં મદદ કરીશું, તો એ હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપશે. : ઓ, પણ અંગ્રેજો એમ કંઈ આપે-બાપે નહીં. રાજસત્તા, કોઈ પણ રાજસત્તા એવી છૂટછાટો આપે જ નહીં. એમાં આ તો બહુ માટે સરકાર ! એણે તો એક પછી એક સખત કાયદાઓ ઘડવા માંડ્યા. રોલેટ એક્ટ નામના ધારા સામે પોકાર થયો. એથી આંદોલનો થયાં, પંજાબ, રાજસ્થાન, ગુજરાતમાં સંભાબંધી, ગિરફતારી. પરિણામે ગાંધીજીએ સરકાર સામે અસહકારની હાકલ દીધી. પંજાબમાં જગતપ્રસિદ્ધ જલિયાંવાલા હત્યાકાંડ થયો. અંગ્રેજો ઉપર ફિટકાર વરસ્યો. નિર્દોષો ઉપર ગોળીબાર કરી કંઈને મારી નાંખ્યા. ત્યારે શ્રી વલ્લભભાઈ સાહેબે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ગાંધીજીની સૂચના અનુસાર અસહકારનો આદેશ આપ્યો. : એટલે ? : સરકારી શિક્ષણ નહીં ખપે, સરકારની ગ્રાન્ટ નહીં ખપે. સરકારી અદાલતો, સરકારી ધારાસભ્યો અને વિદેશી કાપડ તથા વિદેશી શિક્ષણનો ત્યાગ કરો. : અરે વાહ. : અમદાવાદ - નડિયાદ અને સુરતની ત્રણે મ્યુનિસિપાલિટીએ સરકારી તંત્રથી અલગ થવાની ઘોષણા કરી. પછી તો જો જામી છે. તે એક ઘોષાલ કરીને અમલદાર હતા. સરકારના પાકા ખાંધિયા. એ પોતાને માથે સારી બ્રિટિશ સલ્તનતનો તાજ પહેરીને ફરે. આખો ભાર એને જ માથે. : હિંદીભાઈ હતા ? : હિંદી–બાપે દાદે હિંદી ? : અને બ્રિટનની સરકારના ખાંધિયા ? : હા, આ; એવા તો સૌ સરકારી નોકરો-કંઈક ઊંધી ખોપરીના, સરકારના હાથા. વફાદારીનો અર્થ એ જ સમજે, સરકાર એટલે દેવ, માબાપ. એને જ વફાદાર રહે. : દેશને નહીં ? : આ ઘોષાલ અને તેના જેવા તો નહીં જ. ત્યારે ગાંધીજી એક વાર કચ્છ ગયા હતા. સાથે વલ્લભભાઈ સાહેબ હતા. સાથે એક નાની પાંચછ વર્ષની આનંદી નામે છોકરી હતી. ઘોષાલ પોતે બંગાલી, તે હિન્દુસ્તાની, પોતાની છાપનું જ બોલે. : ક્યા નાટક બનાતે હૈ, કચ્છ ગયે તો ઉધર હરિજન લડકીકુ વાલાભાઈને ગોદમેં લિયા. ઇનકું કચ્છમેં કોઈ રસોઈ બનાનેવાલા નહીં મિલેંગે, હિન્દુસ્તાનમેં ઇંગ્લેન્ડના સાત સમન્દરકા-મહારાજાના પ્રિન્સ ઑફ વેલ્સ આ રહા હૈ. યુવરાજ ઐસે દૈવી માનવી અહીં અપની ભૂમિ પાવન કરનેકુ આ રહા હૈ, ઇનકા સ્વાગત નહીં કરેંગે-ક્યા બાત હૈ ઔર હરિજનોં કી સાથે હાથ મિલાતે ફરતે હૈ–ક્યા બાત હૈ. મૈસા વિપરીત કરજુગ આ રહા હૈ. દેશમેં અનાચાર, પાપ હો રહા હૈ, ક્યા બાત હૈ ! : આ મારા વાલાને એમાં કળજુગ દેખાયો. દરમ્યાન અમદ્યવાદમાં કૉંગ્રેસની બેઠક ભરવાનું નક્કી થયું. દેશબંધુ ચિત્તરંજનદાસ એના પ્રમુખે. ઘોષાલ શિષ્ય શિક્ષક શિક્ષક શિષ્ય શિક્ષક
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy