SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ માયા માયા કવિ નવભારતના ભાગ્યવિધાતા : ત્યાં એક હિટલરિયા યા મુસોલિનીના સ્વભાવ જેવા અથવા તો પેલા ફિલ્મના ફ્રેન્ડેન્સ્ટાઇન જેવા એક પ્રચારકને ઊભા કરીને. એની વાત તો પછી કરીશું પણ તે પહેલાં ગુજરાત, દખ્ખણ સૌરાષ્ટ્રમાં પણ વિલીનીકરણનાં પગલાં લેવાયાં. એમાં કોઈ મોટા કરૂણ નાટકના અંતે ફારસ ભજવાય એવો જૂનાગઢનો મામલો તો અજબ રીતે ગોઠવ્યો. : મેં ગોઠવ્યો ? : બેવફાઈ, સત્તાલોલુપતા, કાચા કાન, નક્કર હકીકતથી દૂર અને થાળે પડેલી પરિસ્થિતિમાં ડખલગીરી જ કરવાની તારી ચાલ, પણ એમાંયે આખરે તેં થાપ જ ખાધીને ? : મેં થાપ ખાધી ? : હાસ્તો, ભોપાલના નવાબ સાહેબ ભણેલાગણેલા એટલે સમજદારીપૂર્વક પોતે લડત લડ્યા. અને આખરે હારીને જીત્યા. પણ જૂનાગઢના નવાબ સાહેબ અંગ્રેજ તેમજ સિંધના દીવાનોની રાહે ચાલ્યા. એકબે દીવાનોએ સાચી સલાહ આપી તેમને બરતરફ કર્યા. આખરે રાજ્ય ગયું, દેશ પણ ગયો. : મારું કામ તો માયા, લાલચ બતાવ્યા કરવાનું, પછી તમે એમાં ફસાઓ તો હું શું કરું ? એક જૂનું ગુજરાતી નાટક ‘માયા મોહિની' તમે નહીં જોયું હોય, તેમાં ગાયનની એક લીટી આવે છે– દેખો દેખો, મેરા નામ માયા મશહૂર હૈ !” માયા થોડા વિલિનીકરણના કિસ્સાઓ ૧૯૭ : શું કરું ? એમના સલાહકારોએ કરવા જ ના દીધો. કવિ : પણ અમારા સરદાર સાહેબે તો રાજવીઓની બેત્રણ સભામાં બધું સ્પષ્ટ રીતે સમજાવ્યું જ હતું, મિત્ર તરીકે સંઘમાં જોડાવા, અને એમના આર્થિક પ્રશ્નો સમજૂતીથી ઉકેલવા નિમંત્રણ પણ આપ્યાં હતાં. પણ વડોદરા તો હિંદુ રાજ્ય, તો એમણે પહેલા સંઘમાં જોડાવાની સહી કરી. : એમ ! સહી કરી હતી ? : પૂછો એમના દીવાન, સર બી. એલ. મિત્રને, કેટલી મિત્રભાવે સલાહ આપી હતી ! અને સંઘમાં જોડાયા, પછી તારી માયાનાં આકર્ષણ, સહી નકારી. અને મહીકાંઠા, સાબરકાંઠા, રેવાકાંઠા, પાલનપુર, પશ્ચિમ હિંદનાં બધાં રાજ્યો ઉપર વડોદરાએ પોતાની હકુમત માગી. ઉપરાંત સમસ્ત ગુજરાત ઉપર વડોદરાનું રાજ્ય ! તો એ ભારતને વફાદાર રહે અને ભારતને જરૂર પડ્યે લશ્કરની પણ મદદ કરે ! માયા : હા, એ સલાહ ક્યાંથી મળી હતી, તેની મને ખબર છે. કવિ : એટલે તું છટકી જવા માંગે છે ? : સરદાર સાહેબે શો જવાબ આપ્યો હતો તે કહોને. : હવે તને સરદાર સાહેબનાં પગલાંમાં રસ લેવાનું મન થયું ? પત્રવ્યવહાર તો ઘણો લાંબો ચાલ્યો. મહારાજા સાહેબે કંઈક વચન આપ્યાં અને કંઈક તોડ્યાં. સરદાર સાહેબે પહેલાં તો હિન્દને કોઈના રક્ષણની કે મદદની જરૂર નથી, એમ જણાવ્યું. આમ મહારાજાધિરાજ થવાનાં મહારાજાનાં સ્વપ્નાં તો પડી ભાંગ્યાં. કવિ માથા કવિ : અને તે માયા તે વડોદરા નરેશને બતાવી, એટલે એ જૂનાગઢ નિઝામ કરતાં પણ આગળ વધ્યા. જૂનાગઢના તાબામાં તો બાબરિયાવાડ, માણાવદર અને માંગરોલ, એમ જોડકાં હતાં. નિઝામને બહારનો ભારે દોરીસંચાર હતો, બંને મુસ્લિમ રાજ્યો હતાં. પણ હિન્દુ બહુમતી અને ભૌગોલિક પરિસ્થિતિનો એમણે વિચાર જ ન કર્યો. માયા : પછી ?
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy